Abtak Media Google News

મંત્રી જયેશ રાદડીયાના પ્રયાસો થકી ૬૦ બસમાં લોકો વતન પહોંચ્યા: તમામનું હેલ્થ ચેકઅપ કરી હોમ કવોરન્ટાઈન કરાયા

રાજગારી અર્થે જેતપુર અને જામકંડારણા પંથકના વાસીઓ સુરત ગયા હતા. સાંપ્રત સમયમાં લોકડાઉનને કારણે રોજગાર ધંધા બંધ હોવાથી આ સૌ બેરોજગાર થયા હતા વધુમાં લોકડાઉનને કારણે વાહન વ્યવહાર બંધહોવાથી પોતાના વતન ફરી શકે તેમ નહોતા આવી વિકટ સ્થિતીમાં મુકાયેલાઓ માટે રાજયના મંત્રી જયેશભાઇ રાદડીયાએ પ્રયાસો કર્યા જેથી જેતપુર અને જામકંડોરણા વાસીઓ વતન પરત ફરી શકયા છે.

હાલમાં ૬૦ જેટલી બસોમાં વતન ફરેલા લોકોનું કંડોરણા છાત્રાલય ખાતે મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. વધુમાં જામ કંડોરણા લેઉઆ ક્ધયા છાત્રાલય દ્વારા બસોનું ભાડું ચુકવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ક્ધયા છાત્રાલયની સ્થાપના મંત્રી જયેશભાઇ રાદડીયાના પિતા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાના હસ્તે થઇ હતી.

જેતપુર અને જામ કંડોરણા ખાતે સુરતથી આવેલા આ પરિવારોનું મેડિકલ ચેક અપ- ટેમ્પ્રેચર સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે તે સમયે મંત્રી જયેશભાઈ રાદડિયા  સતત જાગૃત રહી ઉપસ્થિત રહે છે  અને સુરત થી  આવનાર તમામ  પરિવારોને લોક ડાઉન અને હોમ કવોરન્ટાઈનના નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવતા હતા. આ સમયે મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે કોરોના  વાયરસ મહામારીના કારણે લોક ડાઉન છે એવા સમયે સુરત શહેરમાં રોજગારી માટે રહેતા આ વિસ્તારના લોકોને પરિવાર સાથે વતન આવવું હતું આવવા માટે  વાહન તેમજ  મંજૂરીની મુશ્કેલીઓ હતી તે તમામ કામગીરી કરવી આ પરિવારોને વતન પહોંચતા કરવાએ મારા વિસ્તારના લોકો માટેની માનવતાની ફરજ અદા કરવાનો મારો આ પ્રયાસ છે સુરતથી અંદાજે ૧૦૦ થી વધુ બસ દ્વારા જેતપુર જામકંડોણાના વતનીઓને લાવવાની કામગીરી ચાલુ છે આજ સુધીમાં ૫૯ બસમાં ૧૦૦૦થી વધુ પરિવારોને  તેમના વતન પહોંચતા કરવામાં  આવ્યા છે જેમાં ૨૯ બસ જામકંડોણા અને ૩૦  પ્રાઇવેટ બસ જેતપુર ખાતે  આવી ચૂકી છે બાકી રહી જતા લોકોને પણ આગામી બે દિવસમાં તેમના વતન પરત લાવવામાં આવશે.

સુરતથી આવતા આ  તમામનું મેડિકલ ચેકઅપ પટેલ સમાજ ખાતે  આરોગ્ય વિભાગની ડો કુલદિપ સાપરિયાની રાહબરી હેઠળની ડોક્ટર ટીમો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમને સવારે નાસ્તો અને બાળકો માટે ચા. દૂધની વ્યવસ્થા પણ જયેશભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.