Abtak Media Google News

મુંબઈઃ રેપર હની સિંહ પોતાના લગ્ન જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતો. હવે આખરે તેમના છૂટાછેડા થઈ ગયા છે. 7 નવેમ્બરે દિલ્હી કોર્ટે સિંગર અને તેની પત્ની શાલિની તલવારના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

Advertisement

હની સિંહ અને શાલિની તલવારના છૂટાછેડાનો કેસ અઢી વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો અંતે તેના પર નિર્ણય આવી ગયો છે. શાલિનીએ હની પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. છૂટાછેડાને મંજૂરી આપતા પહેલા કોર્ટે હની સિંહને છેલ્લી વાર પૂછ્યું કે શું તે હજુ પણ તેની પત્ની સાથે રહેવાનો પ્રયાસ કરવા માંગે છે?

T2 5

જેના પર હની સિંહે જવાબ આપ્યો કે હવે સાથે રહેવાનો કોઈ અર્થ નથી. હવે સાથે રહેવું અશક્ય છે.શાલિની પણ હનીના આ કથન સાથે સહમત થઈ ગઈ. બંને પક્ષો અલગ રહેવા માટે કોર્ટમાં સમજૂતી પર પહોંચ્યા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હની સિંહ અને શાલિની સિંહે છૂટાછેડા દરમિયાન એકબીજા પર લગાવેલા તમામ આરોપો અને વળતા આરોપો પણ પાછા ખેંચી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાલિનીએ હની સિંહ પાસેથી 10 કરોડ રૂપિયાની એલિમોની માંગી હતી, જે હવે ઘટીને 1 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ રકમ અંગે બંને વચ્ચે સમજૂતી થઈ છે. આવી સ્થિતિમાં, ગાયક હવે આ રકમ તેની પૂર્વ પત્નીને ચૂકવશે.

હની સિંહ અને શાલિની તલવારના લગ્ન 23 જાન્યુઆરી 2011ના રોજ થયા હતા અને હવે તેઓ 12 વર્ષ પછી અલગ થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.