Abtak Media Google News

ઝડઘો કરી ‘ફરીયાદ કરવા જાવ છું’ કહી પત્ની જતા પતિએ ગળાફાસો ખાઇ જીવન ટુંકાવ્યું

અબતક, રાજકોટ

શહેરમાં નાના નાના ઝઘડામાં આપઘાત કરી લેવાનો સિલસિલો યથાવત છે તયારે રાજકોટમાં 80 ફુટ રોડ પર આંબેડકર નગરમાં રહેતા દંપતિ વચ્ચે ઝઘડો થતા પત્ની ‘ફરીયાદ કરવા જાઉ છું’ કહી નીકળ્યા બાદ પતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ છે.બનાવ અંગેની મળતી માહીતી મુજબ આંબેડકરનગરમાં રહેતા અને રીક્ષા ચાલક યુવાને બાબુભાઇ મનજીભાઇ મકવાણા (ઉ.વ.37) એ ઘરે આપઘાત કરી લેતા બનાવની જાણ થોરાળ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ  ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકના પત્ની હર્ષાબેન સાથે ભાવનગરના મિરાળા ગામે પાંચ દિવસ પૂર્વે આટો મારવા ગયા હતા ત્યા પતિ સાસરીયામાં રહેવાને બદલે બહાર ફરતો હતો. તે બાબતે દંપતિ વચ્ચે ઝઘડો થતા પત્ની ઘરેથી નીકળી ગઇ હતી અને ‘ફરીયાદ કરવા જાઉ છું’ તેવું કહ્યું હતું જેથી બાબુભાઇએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. મૃતક છભાઇ બહેનમાં ત્રીજા નંબરના અને તેને સંતાનમાં ચેક દીકરો હોવાનું જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.