Abtak Media Google News

પોરબંદરનો લોહાણા શખ્સ શંકાશીલ સ્વભાવનો હોવાથી મહિલા પુત્રી સાથે માવતરના ઘરે રહેવા આવી હતી: સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ

શહેરમાં ગોંડલ રોડ પર આવેલ લોધાવાડ ચોક પાસે સરા જાહેર મહિલા પર તેના પતિએ એસીડ પી હુમલો કરી નાસી જતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે એ. ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી મહિલાની ફરિયાદના આધારે પતિ સામે ગુનો નોંધી શોધખોળ આદરી છે.

બનાવ અંગેની વિગત મુજબ શહેરનાં ગોંડલ રોડ પર આવેલી માલવીયા કોલેજ પાછળ કુષ્ણનગર મેઈન રોડ પર સ્વામીનારાયણ ચોક પાસે માવતરના ઘરે રહેતી માયાબેન અશોકભાઈ જોબનપુત્રા ઉ.૩૮ નામની લોહાણા મહિલા આજે સવારે સાડા આઠ વાગ્યે પોતાના ઘરેથી પોતાનું મોપેડ લઈ નિકળી હતી અને નોકરી પર જતી વેળાએ ગોંડલ રોડ પર લોધાવાડ ચોક પાસે વિકાસ યામાહાના શો રૂમ પાસે પહોચતા બાઈકપર આવેલા અને પોરબંદરમાં વાડી પ્લોટમાં રહેતો તેનો પતિ પ્રિતેસ પ્રવિણભાઈ પોપટ નામનો શખસ પાછળ આવી માયાબેનને રોકી તેના પર એસીડ ફેંકી હુમલો કરી નાસી ગયો હતો. બાદમાં મહિલાને વાસામાં, અને બંને ખંભા ઉપર એસીડ ઉડાડીને ઈજા થઈ હોવાથી તેણીને પ્રથમ સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની જાણ એ. ડીવીઝન પોલીસમાં કરવામાં આવતા મહિલા પી.એસ.આઈ. બી.કે. ભટ્ટ તથા હેડ કોન્સ્ટેબલ ભીખાલાલ પટેલ અને રાઈટર કુલદીપસિંહ સહિતનો કાફલો ખાનગી હોસ્પિટલ ખાતે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

પોલીસ પુછપરછમાં માયાબેન જોબનપુત્રાએ જણાવ્યું હતુકે તેના લગ્ન પોરબંદરનાં વાડી પ્લોટમાં રહેતા પ્રિતેશ પ્રવિણભાઈ પોપટ સાથે થયા છે. લગ્ન જીવન દરમ્યાન તેને સંતાનમાં બે પુત્રી છે. પતિ પ્રિતેશ શંકા કુશંકા કરતો હોવાથી અને તેની સાથે અણ બનાવ બનતા તેણી પુત્રીઓ સાથે રાજકોટમાં કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલા સ્વામીનારાયણ ચોક પાસે માવતરનાં ઘરે રહેવા આવી ગયા હતા પોતે પ્રાઈવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય આજે સવારે નોકરી પર જવા સવારે ઘરેથી નીકળ્યા બાદ તેનો પતિ પ્રિતેશ પાછળ પાછળ આવી લોધાવાડ ચોક પહોચતા તેણીને અટકાવી તેના પર એસીડ થી હુમલો કરી નાસી ગયો હતો બનાવના પગલે મહિલા પીએસઆઈ સહિતના સ્ટાફ મહિલાની ફરિયાદ લઈ તેના પતિ પ્રિતેશ પોપટ સામે ગુનો નોંધી શોધખોળ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.