Abtak Media Google News

ઘણા બધા લોકો ઘરમાં કુતરુ પાળતા હોય છે જો કે કુતરા પાળવાથી આયુષ્ય વધે છે અને તેનાથી જીવન પણ આરોગ્ય અને સુખમય બને છે પરંતુ ઘણી વખત કુતરા કરડી જતા હોય છે ત્યારે ઘણાં લોકોને ખબર નથી હોતીકે કુતરુ કરડે તો શું કરવુ જોઇએ ડોક્ટર્સના હિસાબે જો તમનુ કુતરુ કરડ્યુ હોય તો તરત જ તેનો ઇલાજ કરવો જોઇએ. કારણ કે તેનાથી રૈબીઝની સંભાવના વધી જાય છે. જેને કારણે તેનાથી ઝડપથી બચવું ખૂબ જ જરુરી છે. જો તમને અથવા કોઇને કુતરુ કરડે તો આવી ભૂલો ક્યારેય ન કરવી.

જે પણ જગ્યાએ કુતરુ કરડ્યુ હોય ત્યા ભુલથી પણ કપડુ બાંધવાની ભૂલ ન કરવી તેનાથી કિટાણુઓ વધુ ફેલાઇ શકે છે માટે તે ઘા ને ખુલ્લુ જ રહેવા દેવું યોગ્ય છે.

– કુતરુ કરળ્યુ હોય તે જગ્યાએ સાબુથી ધોઇ નાખવુ જો ઘરમાં દારુ હોય તો ઝડપથી તેનાથી કરડેલી જગ્યાએ સાફ કરો, કારણ કે દારુ તે સ્થાને એક એન્ટીસેટિક બની કામ કરે છે.

આ ઉપયોગો તમે અપનાવી શકો છો પરંતુ તેની ૨૪ કલાક અંદર જ ડોક્ટરને બતાવી દેવુ અને તેની સલાહ લેવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.