ગીરગઢડા તાલુકામાં છેલ્લા ૨૧ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને પગલે ઉભા પાકને માઠી અસર થવા પામી છે. ગીરગઢડા પંથકમાં ત્રણ ઓગસ્ટથી ૨૬ ઓગસ્ટ સુધી અવિરત વરસાદથી લીલા દુષ્કાળની ભિતી ધરતીપુત્રોમાં સેવાય રહી છે. ત્યારે ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની મુલાકાત લેતા બેડીયા ગામના સરપંચ તેમજ ખેડૂતો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ ગીરગઢડા તાલુકામાં સતત અવિરત વરસાદ પડવાથી કપાસ, મગફળી, એરંડા, જુવાર, બાજરી જેવા પાકોને ભારે નુક્સાન થયું છે. વરસાદથી જમીન પણ રેસ થયેલ છે ત્યારે જમીનમાં પાણી પણ સુકાતા નથી અને ખેતર પણ પાણીથી તરબોળ થઈ ગયા છે. જ્યારે ભુગર્ભ તળ ઊંચા આવતા કુવા-બોરમાંથી પાણી વહેવા લાગ્યા છે. ત્યારે ખરીફ પાક પણ નીષ્ફળ જવાની પુરી સંભાવના છે. ગીરગઢડા તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેમજ ખેડૂતોમાં પણ માંગ ઉઠી રહી છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ