Abtak Media Google News

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો 13998 જુના કેસોનો ત્વરિત નિકાલ કરવા આદેશ

ગુજરાત ન્યુઝ

ગુજરાતમાં હવે જૂની હિન્દી ફિલ્મ ‘દામીની’ નો ડાયલોગ નહીં સાંભળવા મળે. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ કોરટમાં જ્યારે કેસ્ન્દખલ થાય છે ત્યારે તેનો નિકાલ કેટલા સમયે થશે એ કહેવું મુશ્કેલ છે. અને બસ પછી ‘તારીખ પે તારીખ તારીખ પે તારીખ’ આ ડાયલોગ જ યાદ આવે છે. પરંતુ હવે એ ડાયલોગ ભૂતકાળ બની જશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો મહત્વનો નિર્ણય આ સમસ્યાનો ઉકેલ લાવશે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો મહત્વનો નિર્ણય

હવે પાંચથી દસ વર્ષ અને તેનાથી પણ વધુ જુના કેસોમાં 57 દિવસમાં જ ન્યાય મળશે. 13998 જુના કેસોનો ત્વરિત નિકાલ કરવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે આદેશ આપ્યો છે. 1 સપ્ટેમ્બર થી 27 ઓક્ટોબર સુધીમાં તમામ કેસની સુનાવણી પૂર્ણ થયા પછી ચુકાદો આવી જાય તે પ્રકારની સૂચના આપવામાં આવી છે.

વકીલોને ઈમેલથી આપવામાં આવશે તારીખ…

આ આદેશ મુજબ રાજ્યના વકીલોને ઈમેલથી તારીખ આપવાનો નવતર પ્રયોગ અમલમાં આવશે. ગુજરાત હાઇકોર્ટના નવા નિર્ણયથી વકીલ વર્તુળ અને લોકોમાં પણ રાહતની લાગણી અનુભવાઈ રહી છે. તો જોવું એ રહ્યું કે આ નવતર પ્રયોગ લોકોને અને વકીલોને કેટલો ફળદાયી નીવડશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.