રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકા ના નાની વાવડી ગામ માં એક થી દોઢ કલાક માં ૬ થી ૭ ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો તેના કારણે મગફળી ના પાક માં અને કપાસ ના પાક માં પાણી ભરાઈ ગયેલા છે અને એ પાણી ભરાઈ ગયેલા હોવાથી કપાસ તેમજ મગફળી ના મુળતંતુ ને જે નુકશાન કરે છે ને પાણી ભરાવાથી મુલકોશો સુકાઈ જાય અને ૫ દિવસ પછી કપાસ નિષ્ફળ જાય એવી સંભાવના છે ઉપરાંત પારા ધોવાઈ ગયેલા છે તેમાં માટી તેમજ મેટલ્સ નાખવાની ખેડૂત ને એક વિઘે ૧૫૦૦૦ નો ખર્ચો થશે. આ માટે તેઓ ગુજરાત સરકાર પાસે એવી અપેક્ષા રાખે છે કે ખેડુ ને થોડી સહાઈ કરે. ઉપરાંત તેઓ ને આ પાક મુદ્દે લાખો રૂપિયા ની નુકશાની થયેલ છે. ઉપરાંત તેઓ એ આ વાવણી ઉછી ઉધારિ કરી ને આ પાક ની વાવણી કરેલ છે તેમજ આ ગામ ના કેનાલ નું પાણી જે છોડવામાં આવે છે એ જમીન નું ધોવાણ કરે છે ને પાક ને નુકશાન કરે છે આનો નિકાલ તાત્કાલિક ધોરણે કરે તેવી સરકાર પાસે તેઓ ની માંગણી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ