Abtak Media Google News
  • મુળી, સાયલા, થાન પંથકમાંથી હિટાચી લોડર, 10 ડમ્પર સહિતનો મુદામાલ કબ્જે

Surendranagar News

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજનું ખનન-વહન તંત્ર માટે પડકારૂપ સાબિત થઇ રહ્યુ છે. કારણે દિવસે દિવસે મોતના ખાડાઓ સાથે ભૂમાફિયાઓ કાળી કમાણી તરફ વળતા તંત્ર હરકતમાં આવ્યુ હતુ. પરિણામે જિલ્લાનું આરટીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી અને ખાણખનિજ તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શુક્ર અને શનિ એમ બે દિવસમાં જ 15 સાધનો સાથે અંદાજે રૂ. 3 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાની જમીનમાં મોટા પ્રમાણમાં ખનિજ ધરબાયેલુ છે. ત્યારે આ સ્થળો પર ભૂમાફિયાઓના ડોળાઓ ફરતા મોતના ખાડાઓ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો બહાર આવી હતી. જેને લઇને તંત્ર દ્વારા ખાડાઓ બૂરવાની પણ કામગીરી કરવા છતા ફરી આ પ્રવૃતિઓ શરૂ થતા મોતાના ખાડાઓમાં લોકો હોમાઇ રહ્યા છે. જેના કારણે જિલ્લાનું તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. અને આ પ્રવૃતિઓ પર અંકુશ લાવવાનો તે પણ તંત્ર માટે પડકારરૂપ સાબિત થઇ રહ્યો છે. ત્યારે આ પ્રવૃતિઓના ડામવા માટે હવે જિલ્લાની જુદી જુદી ટીમો એક સાથે જોડાઇને ઓપરેશનમાં લાગી ગયુ છે. પરિણામે શુક્રવારે અને શનિવારે જિલ્લાના મૂળી, સાયલા, થાન સહિતના વિસ્તારોમાં ખનિજનું ખનન અને વહન કરતા તત્વો પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ બે દિવસો દરમિયાન આરટીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી અને ખાણખનિજ તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં 2 હિટાચી, 10 ડમ્પરો, 1 લોડર તેમજ 3 ટ્રેકટરો સહિત અંદાજે રૂ. 3 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

લખતર-વિરમગામ હાઇવે ઉપર ડમ્પરો બેફામ અને ઓવરલોડ ચાલતા હોય છે. જેના લીધે અકસ્માતો પણ વધી રહ્યા હોય છે. ત્યારે તા.16 ફેબ્રુઆરીએ લખતર મામલતદાર એચ.આર.પરમાર, આરટીઓની ટીમે પોલીસ સાથે હાઇવે ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે તે દરમ્યાન લખતર નજીક સ્ટેટ હાઇવે ઉપરથી પસાર થતા ડમ્પરોને તપાસ માટે ઊભા રાખ્યા હતા. ત્યારે તેમાંથી 7 ઓવરલોડ ડમ્પરો જણાતાં અંદાજે દોઢેક કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.