Abtak Media Google News

કેશોદ શહેરના જુના અનુસુચિત જાતિના વિસ્તારમાંથી તેમજ ઉતાવળીયો નદી કિનારે રહેતા લોકો એ આજે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને આ વિસ્તારના લોકોને દારુડીયાના રોજના ત્રાસ માંથ છુટકારો મેળવવા માટે અંદાજે સોથી વધારે ભાઇઓ બહેનો ભેગા મળીને રેલી કાઢી કેશોદ પીઆઇ નેલેખીત રજુઆત કરી અમોને દારુડીયાના ત્રાસમાંથી મુકિત અપાવોની માંગણી કરી હતી. આ વિસ્તારના લોકોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે સાંજના પાંચ વાગ્યા પછી દારુડીયા અમારા ઘરના દરવાજા ખખડાવી અમને હેરાનગતિ કરે છે ત્યારે અમારી બહેન દીકરીની સલામતીનું શું અને કોઇપણ અણછાજતો બનાવ બનશે તેનું જવાબદાર કોણ તેવી રજુઆત લોકોએ પોલીસ મથકે જય કરતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા શું છે અંગેની પોલીસ ખુલી ગઇ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.