Abtak Media Google News

શું ગાંધી આશ્રમને નવસર્જિત કરવામાં ગાંધી મૂલ્યો જોખમમાં ?

પ્રસ્તાવિત રિડેવલપમેન્ટના વિરોધમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

અબતક, અમદાવાદ

અમદાવાદના સાબરમતી આશ્રમના પ્રસ્તાવિત રિડેવલપમેન્ટના વિરોધમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી જાહેર હિતની અરજી અંગે ફરી એકવાર સુનવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર વતી કરવામાં આવેલ નિવેદન બાદ આ અરજીનો નિકાલ કર્યો હતો. બાદમાં મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનાવણી ફરી ગુજરાત હાઇકોર્ટને બંને પક્ષે સાંભળી હુકમ કરવા નિર્દેશ આપ્યા હતા.

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ જાહેર હિતની અરજી કરીને જણાવ્યું છે કે, પ્રસ્તાવિત રીડેવલોપમેન્ટ પ્રોજેકટ રાષ્ટ્રપિતા ગાંધીજીના મૂલ્યોને જોખમમાં મૂકી દેશે. તેમણે વધુમાં કહ્યું છે કે, ગાંધીજીના મૂલ્યો સાદગી અને કરકસર આધારિત હતા ત્યારે આ પ્રકારના રીડેવલોપમેન્ટની જરૂરિયાત રહેતી જ નથી. ગાંધીજીએ હંમેશા સાદગી અને કરકસરને જ પ્રધાન્યતા આપી છે ત્યારે હવે રીડેવલોપમેન્ટ પ્રોજેકટ ગાંધીજીના મૂલ્યોને જોખમમાં મુકનારું છે.

સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં ગાંધીજીના મૂલ્યો અને તેમનાં વારસાને મહત્તમ લોકો સુધી પહોંચાડી શકાય એ દિશામાં સરકારના પ્રયાસ હોવાનુ કહેવામાં આવ્યું છે. આગામી પેઢીને ગાંધીજીના મૂલ્યો અને વારસા બાબતે અવગત થાય તે માટે આશ્રમ આસપાસનું ડેવલપમેન્ટ જરૂરી છે. ગાંધી આશ્રમનો કોર એરિયા બદલાશે નહીં. ગાંધી આશ્રમ આસપાસ કુલ 55 એકર જગ્યા પર ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનું આયોજન હોવાનું જણાવ્યું છે.

રાજ્ય સરકારે ફાઈલ કરેલા સોગંદનામા અંગે ગાંધીજીના પ્રપૌત્ર તરફથી તેનો જવાબ આપવા માટે સમયની માટે માગ કરવામાં આવી છે. સાથે સાથે તેમને કરેલી અરજીમાં સુધારા વધારા એટલે કે ડ્રાફ્ટ એમેંન્ડમેન્ટ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે. આ અંગે વધુ સુનાવણી આગામી 14મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

ગાંધીજીના મૂલ્યો અને વારસાને મહત્તમ લોકો સુધી પહોંચાડવા રીડેવલોપમેન્ટ અતિ આવશ્યક: સરકાર

ગાંધીજીના મૂલ્યો અને તેમનાં વારસાને મહત્તમ લોકો સુધી પહોંચાડી શકાય એ દિશામાં સરકારના પ્રયાસ હોવાનુ કહેવામાં આવ્યું છે. આગામી પેઢીને ગાંધીજીના મૂલ્યો અને વારસા બાબતે અવગત થાય તે માટે આશ્રમ આસપાસનું ડેવલપમેન્ટ જરૂરી છે. ગાંધી આશ્રમનો કોર એરિયા બદલાશે નહીં. ગાંધી આશ્રમ આસપાસ કુલ 55 એકર જગ્યા પર ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનું આયોજન હોવાનું જણાવ્યું છે.

ગાંધીજીના સિદ્ધાંતોનું હનન થશે: તુષાર ગાંધી

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. ગાંધી આશ્રમ ઐતિહાસિક ધરોહર હોવાથી રિડેવલોપમેન્ટ ના થઇ શકે તેવી રજુઆત કરી છે. આશ્રમનું રિડેવલોપમેન્ટ કરવાથી ગાંધીજીના સિદ્ધાંતોનું હનન થશે અને ગાંધીવાદીઓની લાગણી દુભાશે તેવી રજુઆત કરાઈ છે.ગાંધીજીના સાબરમતી આશ્રમના રિડેવલોપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી મેદાને આવ્યા છે. ગાંધી આશ્રમનું રિડેવલોપમેન્ટ ના કરવા માટે તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. ગાંધી આશ્રમ ઐતિહાસિક ધરોહર હોવાથી રિડેવલોપમેન્ટ ના થઇ શકે તેવી રાજુઆત કરી છે. ગાંધી આશ્રમનું મૂળ સ્વરૂપ બદલાશે તો ગાંધીવાદીઓની લાગણી દુભાશે. જો ગાંધી આશ્રમના મૂળ સ્વરૂપમાં ફેરફાર થશે તો ગાંધી આશ્રમનું મૂલ્ય ઘટી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.