Abtak Media Google News

લગ્ન બાદ કિશોરીને ઘરે લઇ જવાનું મંગેતરે કહેતાં ભર્યુ પગલું

રાજકોટમાં 6 માસ પૂર્વે પિતાની હવસનો શિકાર બનેલી કિશોરીએ ગઇકાલે સગાઇ નક્કી થયા બાદ મંગેતરે લગ્ન પછી ઘરે લઇ જઇશ તેવું કહેતા તે વાતનું માંઠુ લાગી આવતા કિશોરીએ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. બનાવની જાણ તાલુકા પોલીસને થતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ કાલાવડ રોડ નજીકનાં વિસ્તારમાં રહેતી અને બે બહેન અને એક ભાઇમાં મોટી 26 વર્ષની કિશોરીએ તેના જ પિતાએ 6 માસ પૂર્વે હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યુ હતું. જેથી પિતા વિરૂધ્ધ ગુંનો નોંધાતા તે નરાધમ જેલ હવાલે થયો હતો અને તે હાલ જેલ હવાલે છે ત્યારે બીજી તરફ ઘટનાના થોડા સમય બાદ કિશોરીને રાજકોટમાં જ રહેતા અને કડિયા કામ કરતાં યુવાનના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. બાદ બંનેનો પરિવારજનોની સહમતી બાદ રૂપિયો નારીયેલ આપી સગાઇ નક્કી કરી હતી અને કિશોરીએ તેના મંગેતરને ઘરે લઇ જવા માટે કહ્યું હતું પરંતુ તેની ઉંમર નાની હોવાથી લગ્ન બાદ તને લઇ જઇશ તેવું મંગેતરે કીધું હતું. તે કિશોરીને લાગી આવ્યું હતું.

જે દરમિયાન ગઇકાલે માતા ઘરકામ કરવા બહાર ગયા બાદ ઘરે નાની બહેન સાથે એકલી હતી ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તાલુકા પોલીસે હોસ્પિટલે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.