રાજય સરકાર દ્વારા ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખરીફ પાક સિઝન ૨૦૧૯-૨૦ માટે ટેકાના ભાવે મુજબ મગળીની ખરીદી કરવા માટે રાજકોટ જિલ્લાના કુલ ૧૮ ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલુ છે. જે અન્વયે તા. ૧૮મી ડીસેમ્બરના રોજ એકજ દિવસમાં કુલ ૧૧૮ ખેડૂતોની રૂ. ૧,૨૯,૦૦,૦૦૦ (અંકે રૂપીયા એક કરોડ ઓગત્રીસ લાખ)ની મગફળીની ખરીદ કરી ઓનલાઇન ચુકવણું કરી આપવામાં આવેલ છે. જેમાં જસદણના ૯ ખેડૂતો, ઉપલેટાના ૧- ખેડુત, જેતપુરના ૧૪ અને ગોંડલ ૯૪ ખેડૂતોની મગફળીની ખરીદી કરાઇ છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૨ ખેડુતોને કુલ રૂ. ૧,૭૮,૫૯,૦૦૦/-ની રકમનું ચુકવણું ઓનલાઇન ધોરણે કરવામાં આવ્યું છે. તેમ રાજકોટ રાજય નાગરીક પુરવઠા નિગમ લી.ના રાજકોટ ખાતેના જિલ્લા મેનેજર ગ્રેડ-૧ જણાવ્યું છે.
Trending
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત
- ઉનાળામાં આ બ્રાઈટ&ટ્રેન્ડી કલર્સના આઉટફિટ પહેરો, તમારા કૂલ લુકના વખાણ થશે
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર