Abtak Media Google News

પ્રેમ આંધળો છે પ્રેમના વહેમમાં રહેલી હિન્દુ યુવતીને વિધર્મી પ્રેમીને પારખવામાં કરેલી ભુલનું ભાન છે ક ત્રણ વર્ષે થયુ ત્યારે ઘણું મોડુ થઇ ગયું હોય તેવી કફોડી હાલતમાં મુકાયેલી હિન્દુ યુવતીએ પોતાના પરિવારના વડીલોની કરેલી અવગણાનું કેટલું ગંભીર પરિણામ ભોગવી રહી છે તે અંગેની પોતાની કરુણ અને દયાજનક આપ વિતી વરણી પોતે ન ઘરની કે ન ઘાટની રહ્યાની સ્થિતીમાં મુકાઇ ગઇ ગયાની સમાજ માટે લાલબતી સમાન ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રથમ પતિને છુટાછેડા લેવડાવી ત્રણ વર્ષ સુધી પત્નીની જેમ રાખ્યા બાદ બેવફા પ્રેમી વિધર્મી ફરાર: હિન્દુ યુવતીના માતા અને બહેનોએ સધિયારો ન આપ્યો: વિધર્મી યુવકના પરિવારે પણ મદદ કરવાનો ઇન્કાર કર્યો

જંગલેશ્ર્વરની એક સંતાનની માતાને પ્રેમ ઝાળમાં ફસાવી ત્રણેક વર્ષ પહેલાં ભગાડી ગયેલા મુળ ઉત્તર પ્રદેશના વતની  ઇર્શાદ મોહરમભઇ પઠાણ નામનો 22 વર્ષના વિધર્મી યુવક પોતાની પ્રેમિકાને તરછોડી  ગત તા.17 ડિસેમ્બરથી ભેદી રીતે લાપતા થઇ ગયો છે. જેને સોનું જાણીને પોતાનું સર્વસ્વ સોપી દેનાર વિધર્મી કથીર નીકળ્યાનો હિન્દુ યુવતીને અહેસાસ થયો છે. કફોડી હાલતમાં મુકાયેલી  યુવતીના પરિવારે મદદ કરવાની સ્પષ્ટ ના કહી દીધી છે. બીજી તરફ વિધર્મી યુવકની માતા તેમજ બહેનોએ પણ દયાજનક હાલતમાં રહેલી યુવતીનને સહયોગ અને સહકાર આપતા ન હોવાથી ત્રણ વર્ષ પહેલાં કરલી ભુલના કારણે હિન્દુ યુવતી નિસહાય હાલતમાં મુકાય છે.

જંગલેશ્ર્વર પાસે ગાંધી સોસાયટીની હિન્દુ યુવતીએ સાતેક વર્ષ પહેલાં પરિવારની મરજી વિરુધ્ધ પાડોશમાં રહેતા ઉત્તર પ્રદેશના વતની અને બેકરીનો વ્યવસાય કરતા પુલતાનના પરિચયમાં આવતા બંનેએ ઇસ્માલ ધર્મ મુજબ નિકાહ પઢીને ઘર સંસાર શરુ કર્યો હતો. લગ્ન જીવન દરમિયાન એક પુત્રીને જન્મ આપ્યો હતો.

પુલતાનના વતનનો ઇર્શાદ મોહરમ પઠાણ ગાંધી સોસાયટીમાં રહેવા આવ્યો હતો. ઇર્શાદ પઠાણના પરિચયમાં આવેલી એક સંતાનની માતાને પ્રેમ સંબંધ બંધાયો હતો. ઇર્શાદ પઠાણની વાતોમાં ફસાયેલી યુવતીએ પોતાની એક પુત્રીને તજીને પુલતાનને છુટાછેડા આપી ત્રણેક વર્ષ પહેલાં ન્યુ સાગર સોસાયટી શેરી નંબર 4માં રહેવા આવી ગઇ હતી ત્યારે પણ યુવતીના પરિવાર તેમજ પુલતાનના પરિવાર દ્વારા હિન્દુ યુવતીને સમજાવવામાં આવી હતી પરંતુ વડીલોની શિખામણને અવગણીને ઇર્શાદ પઠાણ સાથે લગ્ન વિના જ પત્નીની જેમ રહેવાનું શરુ કર્યુ હતું. ઇર્શાદ પઠાણ પર ભરોશો કરી યુવતીએ પોતાની પુત્રી અને પરિવારને તજી પોતાનું સર્વસ્વ સોપી દીધું હતું.

પરંતુ ઇર્શાદ પઠાણે ત્રણ વર્ષ બાદ નજીવી બાબતે ઝઘડો કરી પોતાની પ્રેમિકાને તરછોડી તા.17 ડિસેમ્બરથી ગુમ થઇ ગયો છે.  છેલ્લા છ દિવસથી ફરાર વિધર્મી યુવક બેવફા પ્રેમી હોવાનો યુવતીને અહેસાસની સાથે પ્રથમ સાત વર્ષ પહેલાં અને બીજી ત્રણ વર્ષ પહેલાં કરેલી ભુલનું ભાન થયું છે. યુવતીને પોતાની ભુલ સમજવામાં ઘણું મોડુ થયું હોવાની ગંભીરતા સમજાય છે. દયાજનક સ્થિતીમાં મુકાયેલી યુવતીએ બેવફા પ્રેમી ઇર્શાદ પઠાણની ભાળ મળવવા ભક્તિનગર પોલીસમાં દાદ માગી છે. હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇએ ગુમ નોંધ લખી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.