Abtak Media Google News

જેસીબીની મદદથી વંડા તોડી પડાયા: મકાનોને ૭ દિવસની નોટીસો અપાઇ

રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામની હદમાં આવેલા કોઠાવાળાનેશમાં લોકોએ સરકારી જમીન ઉપર દબાણ કરેલ હતું. લોકોએ વંડા કરીને તેમાં મકાન પણ બનાવી લીધેલ છે

તેથી રાણાવાવ મામલતદારે ડીમોલેશન કરીને તેમાં હાલમાં વંડા વાળેલ હતા તે તમામ વંડા તોડી પાડેલ છે. અને જેણે મકાન બનાવેલ છે તેમને સાત દિવસની મુદત આપેલ છે જયારે ડીમોલેશનની કામગીરી  પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આવેલ છે અને ૩ થી  ૪ એકર જમીનનું દબાણ દુર કરવામાં આવ્યું. અને આ માલધારી સમાજના લોકોની માંગણી છે કે જેમ અહીંનું દબાણ દુર કરવામાં આવ્યું તેવી રીતે પોરબંદર જીલ્લાના બીજા દબાણ પણ દુર કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.