Abtak Media Google News

શિક્ષણ બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય: તમામ શાળાઓને પરિપત્ર મોકલી દેવાયો

આગામી માર્ચ- એપ્રીલ માસમા યોજનારી ધોરણ 10 અને 1ર ની પરીક્ષાના સંદર્ભે શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામા: આવ્યો છે. હવે બોર્ડની પરીક્ષામાં જે તે શાળાના આચાર્ય એ જ સ્થળ સંચાલક તરીકેની જવાબદારી નિભાવવી પડશે.

બોર્ડની પરીક્ષામાં ચોરી સહીતની ગેરરીતી અટકાવવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા આજે એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે ધોરણ 10 અને ધોરણ 1ર ની પરીક્ષામાં જે શાળાને પરીક્ષા કેન્દ્રની માન્યતા મળી છે તેના આચાર્યએ સ્થળ સંચાલક તરીકે જવાબદારી નિભાવવાની રહેશે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાના આચાર્યને પરિપત્ર મોકલી જાણ કરી દેવામાં આવ્યો છે.હવે પરીક્ષા કેન્દ્ર પર કોઇ ગેરરીતી પડકાશે તો તેની જવાબદારી સ્થળ સંચાલક તરીકે શાળાના આચાર્યની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.