Abtak Media Google News

વિદ્યાર્થીઓને વિવિધ કારીગરી સુથારી કામ, બાગ કામ, મેટલ વર્ક અને માટી કામ સહિતની પ્રવૃતિઓ શીખવાડમાં આવશે

નવી શિક્ષણ નીતિમાં ધો. 6 થી 8માં 10 દિવસ બેગલેસ પિરિયડની શરુઆત કરવાનું નકકી કરાયું છે. જે મુજબ વિઘાર્થીઓ 10 દિવસ બેગ લીધા વગર સ્કુલ આવશે. આ 10 દિવસ દરમિયાન વિઘાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેકટીલ તાલીમ આપવામાં આવશે. જેમાં વિઘાર્થીઓ સુથારી કામ, મેટલ વર્ક, બાગ કામ, માટી કામ સહીતની પ્રવૃતિઓ શિખશે. આ ઉપરાંત બેગલેસ દિવસ દરમિયાન રાષ્ટ્રીય સ્મારકો અને સંગ્રહાલયની પણ મુલાકાત કરવા માટે વિઘાર્થીઓને લઇ જવામાં આવશે. ગુજરાતમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિના અમલને લઇને તૈયારીઓ થઇ રહી છે.

નવી શિક્ષણનીતિમાં ઓછામાં ઓછા પ0 ટકા વિઘાર્થઓને વ્યવસાયિક શિક્ષણ સાથે જોડવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

નવી શિક્ષણ નીતિમાં ધો. 6 ની શરુઆતમાં જ વ્યવસાયિક વિષયો ભણાવવામાં આવે તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ધો. 6 થી 8 ના બાળકોને 10 બેગલેસ દિવસની પ્રવૃતિનો દ્વારા વિવિધ વ્યવસાયનું જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ધો. 6 થી 8 દરમિયાન દરેક વિઘાર્થી એક અભ્યાસ ક્રમ લેશે. જેમાં સુથાર કામ, ઇલેકટ્રીક વર્ક,, મેટલ વર્ક, બાગ કામ, માટી કામ વગેરેન સમાવેશ થાય છે. વિઘાર્થીઓ 10 દિવસના બેગલેસ સમયગાળામાં વ્યવસાયિક નિષ્ણાંતો જેમ કે સુથાર, માળી, કુંભાર વગેરે સાથે ઇન્ટર્ન કરશે. બેગલેસ દિવસોને સમગ્ર વર્ષ દરમિયાન કળાને લગતી વિવિધ પ્રવૃતિઓ માટે પ્રોત્સાહીન કરવામાં આવશે. આ ઉપરાંત બાળકોને સમયાંતરે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રવાસી મહત્વના સ્થળો સ્મારકોની મુલાકાત, સ્થાનીક કલાકારો અને કારીગરોને મળવા માટે લઇ જવાશે. શિક્ષકો અને બાળકો સરેરાશ રોજ 6 કલાક સ્કુલમાં વિતાવે છે. જેને જોતા વર્ષ દરમિયાન 1 હજાર કલાકથી વધુ સ્કુલમાં વિતાવે છે. આ કાર્યક્રમ માટે પ્રવૃતિઓ માટે શાળાના સમયના 10 દિવસ અથવા તો 60 કલાક ફાળવવા જોઇએ તેવું સુચન નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવ્યું છે.

શાળાના સત્રના પ્રથમ ભાગમાં અને સત્રના બીજા ભાગમાં પાંચ-પાંચ દિવસ આ પ્રવૃતિનું આયોજન કરી શકાશે. શાળા પણ તેમની અનુકુળતા મુજબ આયોજન કરી શકશે. આ કાર્યક્રમનો ઉદેશ વિઘાર્થીઓને મનોરંજક સ્થિતિમાં વિવિધ પ્રવૃતિઓ તરફ ઉજાગર કરવાનો છે. શિક્ષણ આ કાર્યક્રમ દરમિયાન વિઘાર્થીઓના રસ અને વલણને જાણી શકશે. જો કે, વિઘાર્થીને કોઇ ગુણ અથવા ગ્રેડ આપવામાં આવશે નહી. શિક્ષક આંતરિક મુલ્યાંકન તથા ગોપનીય મુલ્યાંકન કરી શકે છે. અને વિઘાર્થીઓ દ્વારા પ્રાપ્ત કરેલા શિક્ષણનો આંતરીક રેકોર્ડ પણ રાખી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.