Abtak Media Google News

તમે માત્ર ફિલ્મોમાં જોયુ હશે કે જાનવરો પણ બદલો લેતા હોય જેમ કે સાં૫ તેની પ્રેમિકા મરી ગયા બાદ તેનો પ્રતિશોધ લેતો હોય. પરંતુ આ વાત છે ઉત્તર કર્નાટકના એક જિલ્લાની જેમાં એક બેકાબુ થયેલી બસે ગાયના વાછરડાને તેની સામે જ કચળી નાખ્યો હતો. આ જોઇ તેનાથી આ ઘટના સહન થઇ નહીં આ બનાવ બાદ તે ગાય છેલ્લા ૪ વર્ષથી રોજ ફક્ત એક જ બસનો રસ્તો રોકે છે. જેણે તેના વાછરડાને કચળી નાખ્યો હતો. તેનુ મોત થયા બાદ ગાય બે કલાક સુધી પોતાના મરી વાછડાના મૃત દેહને પોતાના મોઢાથી ઉપાડવાની કોશિશ કરતી રહી પરંતુ તે નાકામ રહી. ત્યારબાદ તે કલાકો સુધી એ જગ્યાએ બેસી રહી એક માંની મમતાને બાળક ખોવાનું કેટલુ દુ:ખ હોય તે ત્યાંથી નિકળતા દરેકના રુવાડા ઉભા કરી દેનાર નજારો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.