Abtak Media Google News

સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ ભરતી મેળાને ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે ખુલ્લો મુકયો હતો.

આ પ્રસંગે તેમણે પ્રાસંગિક પ્રવચનમાં યુવાનોને રોજગારી મળી રહે તે માટે રાજય સરકારે અમલમાં મુકેલ અનેક યોજનાઓનો વિસ્તૃત ખ્યાલ આપી આ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ રોજગાર મેળામાં ૧૭૪૩ ઉમેદવારો ઉપસ્થિત રહયા હતા અને તે પૈકી ૪૩ જેટલા નોકરીદાતાઓએ હાજર રહી ૧૨૮૯ યુવાનોની પ્રાથમિક પસંદગી કરી હતી.

જયારે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ ૪૨ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. જયારે ભારતીય પોસ્ટલ પે બેંક સુરેન્દ્રનગર દ્વારા ૧૫૦ બચત ખાતા ખોલવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.