Abtak Media Google News

ગુજરાતમાં ફરી એકવાર સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવતા સનસનાટી મચી ગઈ છે જ્યાં એકલતાનો લાભ લઈ સસરાએ તેની પુત્રવધુ સાથે દુષ્કર્મ આચર્યું હતું.ઘરના તમામ સભ્યો ખેતરમાં ગયા હતા ત્યારે સસરાએ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો પરણીતા પિયર ગયા બાદ સાસરે પરત ન આવતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો જે મામલે વડાલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાઈ હતી.

Advertisement

એકલતાનો લાભ લઈ આચર્યું   દુષ્કર્મ: પુત્રવધુ પિયરથી પરત ન આવતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો

સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ સાબરકાંઠાના વડાલીમાં ઘરના સભ્યો ખેતરે ગયા બાદ સસરાએ ચા નાસ્તાના બહાને ઘરે આવી 21 વર્ષીય પુત્રવધુ એકલી હોય એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ઘટનાને અંજામ આપ્યા બાદ પુત્રવધુની આ અંગે કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી જે બાદ સમગ્ર ઘટનાને કારણે પુત્રવધુ પોતાના પિયર જતી રહી હતી જો કે પિયર ગયા બાદ પરત નહીં આવતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો જે મામલે નરાધમ સસરા સામે પુત્રવધુ એ વડાલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પોલીસ તપાસના અંતે સત્ય શું છે એ તો હવે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.