Abtak Media Google News

૨૦,૦૦૦ સરપંચોને સંબોધશે વડાપ્રધાન: ઉત્તરપ્રદેશ, રાજસન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, પંજાબ, હરીયાણા સહિતનાં રાજયોમાંથી આવશે ૧૦,૦૦૦ જેટલા સરપંચો

દેશનાં રાષ્ટ્રપિતા કે જેઓ સ્વચ્છતાનાં પુજારી હતા તેમણે શ્રદ્ધાંજલી આપવા માટે નરેન્દ્ર મોદી ૨જી ઓકટોબરનાં રોજ ભારતને શૌચમુકત કરવાની જાહેરાત કરી છે. જે દિશામાં સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની દેશની સાથે સાથે ગુજરાતમાં પણ ઉજવણી કરવામાં આવશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતાનો જે સંકલ્પ કરીને સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયા માંથી મુક્ત કરવા પ્રથમ કદમ ભર્યું હતું જે સંકલ્પ આજે પૂર્ણ થયો છે. ૨ ઓક્ટોબરે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે વડાપ્રધાન સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયા થી મુક્ત જાહેર કરશે. આ પ્રસંગે અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજાનારા ૨૦ હજારથી વધુ સરપંચોના મહાસંમેલનમાં વડાપ્રધાન દેશને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રીવરફ્રન્ટ ખાતે યોજાનાર આ સરપંચ સંમેલનમાં ગુજરાતના ૧૦ હજાર સરપંચો તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, પંજાબ, હરીયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ૧૦ હજાર સરપંચો મળી કુલ-૨૦ હજાર સરપંચો ભાગ લેશે.

આ ઉપરાંત સ્વચ્છતાગ્રહી, સ્વ-સહાય જુથો, યોજના સાથે સંકળાયેલા ગ્રામ્ય સ્તરના સ્વચ્છતા વર્કરો, મહિલા ચેમ્પિયન મળી કુલ પ્રતિનિધિઓના ૬૦ ટકાથી વધુ બહેનો ભાગ લે તે માટે અગ્રીમતા પણ અપાઇ છે. આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત નાર ૧૦ હજારથી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજીત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્ળોની મુલાકાત પણ કરાવાશે, એટલુ જ નહીં ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ એવી નવરાત્રીના ગરબા સ્થળે પણ મુલાકાત કરાવાશે. સાથે-સાથે તેમના માટે કાર્યક્રમમાં સહભાગી થવા માટે ૪૦૦થી પણ વધુ બસાથેની વ્યવસ્થા કરાઇ છે. અન્ય રાજ્યોમાંથી આવતા પ્રતિનિધિઓને ઝોન પ્રમાણે ગાંધીજીની સ્મૃતિ સાથે સંકળાયેલા સ્થળો જેવા કે, દાંડી મેમોરીયલ-નવસારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી-નર્મદા અને દાંડી કુટિર, મહાત્મા મંદિર-ગાંધીનગરની તેમજ મોડલ ગામની મુલાકાત પણ કરાવાશે.

આ તમામ પ્રતિનિધિઓને ગુજરાતની સ્મૃતિ તરીકે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કિચન સાથે એક કિટ પણ અર્પણ કરાશે. ૨ ઓક્ટોબર દેશભરમાં સ્વચ્છતા દિન તરીકે ઉજવાશે. સ્વચ્છતાનો સંદેશો દેશ અને દુનિયામાં પહોંચે તે માટે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. અમદાવાદ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો દેશ-વિદેશના મહાનુભાવોને પણ સહભાગી થવા આમંત્રણ અપાયુ છે. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સંસદસભ્યો, બોર્ડ કોર્પોરેશનના ચેરમેનશ્રીઓ, સશસ્ત્ર દળના વડાઓ, હાઇકોર્ટના જજીસ, પદ્ય એવોર્ડ વિજેતા, ગાંધીયન સંસઓ, શિક્ષણવિદો, મહિલા મંડળ, સખી મંડળ, યુવા મંડળો અને વિવિધ સંસ્થાના વિર્દ્યાથીઓને આમંત્રિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.