Abtak Media Google News

“ઈન્ડિયા” એટલે રાજકીય પાર્ટીઓનો સમૂહ મેળો છે જે આતંકવાદને   સમર્થન કરે છે. જયારે ભારત આતંકવાદના ખાત્મા માટે ઈઝરાયલનું સમર્થન કરે છે.તેવું નિવેદન પ્રદેશ ભાજપ  અધ્યક્ષ સી.આર. પાટીલે ગઈકાલે નવસારી ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના સંમેલનમાં આપ્યું હતુ. પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી ખાતે બનાસકાંઠા મહાસંમેલન યોજાયું હતું.

લોકસભાની તમામ બેઠકો પાંચ લાખ મતોની લીડ સાથે જીતવાનું આહવાન કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ

આ તકે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે  જણાવ્યું છેકે, બનાસકાંઠા જિલ્લામાં  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિશેષ પ્રેમ છે.  નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને આજે વડાપ્રધાન બન્યા પછી બનાસકાંઠા જિલ્લામાં પણીની સમસ્યા દુર કરવા માટે, બધા તળાવ ભરવા 1700 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. બનાસકાંઠામાં બહેનોએ સફેદ ક્રાંતિ કરી આર્થિક રીતે જિલ્લાને મજબૂત બનાવ્યો છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી   ત્રણ જી.આઇ.ડી.સી મંજૂર કરી જેના કારણે રોજગારી મેળવવા હવે કોઇએ બનાસકાંઠાથી નવસારી ન આવવુ પડે તેવી વ્યવસ્થા કરી છે.

પાટીલએ વધુમાં જણાવ્યું કે,   વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી   હમેંશા મહિલાઓને સુરક્ષીત કરવા તેમને સરક્ષણ આપવાનું કામ કર્યુ છે. મહિલાઓ માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. પહેલા કોઇ મકાન પુરુષના નામ પર લેવાતુ પણ મોદી એ મકાનની રજીસ્ટ્રેશનની ફિ જો બહેનના નામે કરાવે તો ફી ઓછી કરવાની જાહેરાત કરી જેના કારણે આજે બહેનોના નામ મિલકતો મળતી  થઇ.   આજે મહિલા અનામત બિલમાં તમામ રાજકીય પાર્ટીએ સમર્થન કરવાની ફરજ પડી.

પાટીલએ વધુમાં જણાવ્યું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી   દેશનો સર્વાંગી વિકાસ કર્યો અને દેશને સમૃદ્ધીના વિકાસ પર લઇ ગયા છે. આજે ભારત ચંદ્રપર પહોંચી ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા  અને દેશને ચંદ્રયાન પર પહોંચાવા મદદ કરી. ઇસરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલ જંગમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આપણા મિત્ર દેશ ઇઝરાયલને ફોન કરી આંતકવાદ સામે લડવા સમર્થન આપ્યુ. આજે ઇન્ડિયા અને ભારત વિશે સોશિયલ મીડિયા થકી તમે જોતા હશો કે ઇન્ડિયા એટલે રાજકીય પાર્ટીઓનો સમુહ મેળો કે જે આતંકવાદને સમર્થન કરે છે અને ભારત એટલે જે આતંકવાદીઓનો ખાતમો કરવા ઇઝરાયલને સમર્થન કરે છે આ વ્યાખ્યા પાછળ  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કાર્યપદ્ધતિ છે. લોકસભાની તમામ બેઠકો પાંચ લાખથી વધુની લીડથી જીતવાનો પ્રયાસ કરે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે,  પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  રાજયભરમાં સતત પ્રવાસો કરી કાર્યકર્તાઓમાં ઉર્જાનો સંચાર કરતા રહ્યા છે. પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત  ભાજપનો કાર્યકર સહકાર ક્ષેત્રે સેવાકીય કાર્યો કરે તે પ્રયાસ કર્યો આજે બધી જ સહકારી સંસ્થાઓમાં ભાજપનો કાર્યકર કાર્ય કરી સંસ્થાઓને સફળતાથી આગળ વઘારી રહ્યા છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી  રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષે  મહેન્દ્રભાઇ પટેલ,  જનકભાઇ બગદાણાવાળા,ધારાસભ્ય નરેશભાઇ પટેલ,રાકેશભાઇ દેસાઇ,પ્રદેશ મંત્રી  શીતલબેન સોની,નવસારી જિલ્લા પ્રમુખ ભુરાભાઇ શાહ,બનાસકાંછા જિલ્લા પ્રમુખકિર્તિસિંહ વાઘેલા,પુર્વધારસભ્યઓ  શશીકાંતભાઇ પંડયા,ગોવાભાઇ દેસાઇ,પિયુષભાઇ દેસાઇ,પ્રદેશ માલધારી સેલના સંયોજક સંજયભાઇ દેસાઇ, જગમલભાઇ દેસાઇ,નવસારી નગરપાલિકાના પ્રમુખ મીનલબેન દેસાઇ તેમજ પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.