Abtak Media Google News

શિખર ધવનના સ્થાને સંજુ સેમસનને તક મળે તેવી વકી

વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-ર૦ સીરીઝમાંથી ઓપનીંગ બેસટમેન શિખર ધવનને બહાર રખાયો છે. ઇજાગ્રસ્ત શિખર ધવનને થોડો સમય આરામની જરુર હોવાનું બીસીસીઆઇની મેડીકલ ટીમનું કહેવું છે.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામેની મેચ દરમિયાન ધવનના ગોઠણમાં ઇજા થઇ હતી. ત્યારબાદ તેને આરામની જરુર હોવાનું જણાવાયું છે શિખરના સ્થાને સંજુ સેમસનનું નામ ઓલ ઇન્ડિયા સીનીયર સીલેકશન કમીટી દ્વારા અપાયું છે.

ટીમ ઇન્ડીયાના વિકેટ કીપર રીધીમાન સહા પણ ઇજાગ્રસ્ત હતો. કલકતામાં બાંગ્લાદેશ સામેની પીંક બોલ ટેસ્ટ દરમિયાન તેમની આંગળીને ફેકચર થયું હતું. દરમિયાન તેની ઇજામાં સુધારો જોવા મળ્યો હતો મુંબઇમાં તેની સર્જરી થઇ હતી.

દરમિયાન હવે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનને પણ ઇજા પહોંચતા તે વેસ્ટઇન્ડિઝ સામેની ટી-૨૦ સીરિઝમાંથી બહાર રહેશે તેની આ ખોટ ભારતીય ક્રિકેટ ટીમને લાગશે. તેના સ્થાને સંજુ સેમસન રહે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.