Abtak Media Google News

નવયુગલોને ગર્ભધારણ સમયે યોગ્ય પગલા કઇ રીતે લેવા માહિતી ડો.મનીષા મોટરીયાએ સમજાવ્યું

શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર પ્રેરીત મહિલા સંગઠન સમિતિ સિદસર સૌરાષ્ટ્ર ઝોન આયોજિત સોળ સંસ્કાર ઉત્તમ સંતાનનો કાર્યક્રમ ગય કાલે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રાજકોટ ખાતે યોજાયેલો હતો.

આજના નવયુગલોને ગર્ભધારણ સમયે યોગ્ય પગલાં કય રીતે ભરવા એ માહિતી ડોક્ટર મનીષા મોટરીયાએ સમજાવેલ ,સુમધુર સંગીત સાથે વિનોદ પટેલે નવદંપતી ને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું સીદસર મંદિર ના એમ.ડી જયેશભાઈ પટેલે સંસ્થાનો પરિચય આપ્યો હતો.

Img 20220614 Wa0019

પ્રોફેસર જયેશભાઈ વાછાણી અત્યારની જીવન શૈલી વીશે માહીત ગાર કરેલ હતાં સ્વાગત શ્રી ઉમિયા મંદિર સિદસર મહિલા સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન આધ્યક્ષ સરોજબેન મારડિયા કર્યું હતું પ્રાથના ગીત દક્ષાબેન માકડીયાએ ગાયું હતું.

આ તકે આગેવાન જેરામભાઇ વાસજાળીયા, મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, કાંતીભાઈ ઘેટીયા, પ્રફુલ્લભાઇ કાથરોટીયા, ધર્મેન્દ્રભાઈ ઉકાણી, ડેનીસભાઈ હદવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી ઉમીયા મહિલા સમીતી રાજકોટ પ્રમુખ જ્યોતિબેન ટીલવા, વર્ષાબેન માકડિયા મહામંત્રી તાલુકા પ્રમુખ આરતીબેન રાજોડિયા,કોટડા તાલુકા પ્રમુખ ભાવનાબેન ભાલોડિયા મહિલા સમિતિ વોર્ડ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને સભ્યોએ ખુબ સહકાર આપેલ હતો કાર્યક્રમને સફળ બનાવવામાં ઉમિયા સંગઠન સમિતિ,યુવા સમિતિ અને મહિલા સંગઠન સમિતિ રાજકોટનો ખુબ ખુબ સહકાર રહ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.