Abtak Media Google News

ચોથી વખત ભ્રમણકક્ષા પરિવર્તન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ

ભારતના સૌર મિશન Aditya L-1એ ચોથી વખત સફળતાપૂર્વક ભ્રમણકક્ષા બદલી છે. ગુરુવારે મોડી રાત્રે મિશન દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ટ્વિટર (Twitter) પર આ માહિતી શેર કરી હતી.

Advertisement

Aditya L1 1

ISROએ જણાવ્યું હતું કે ભ્રમણકક્ષા પરિવર્તન પ્રક્રિયા માટે ચોથી વખત થ્રસ્ટર છોડવામાં આવ્યા હતા. ISROએ જણાવ્યું હતું કે અગાઉ ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા 3, 5 અને 10 સપ્ટેમ્બરે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ISROના બેંગલુરુ, મોરેશિયસ અને પોર્ટ બ્લેર સ્ટેશનો પરથી આ પ્રક્રિયાને ટ્રેક કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ પહેલા Aditya L-1 એ 10 સપ્ટેમ્બરના રોજ ત્રીજી વખત તેની ભ્રમણકક્ષા બદલી હતી. જેમ જેમ ભ્રમણકક્ષા બદલાઈ રહી છે તેમ, સૌર મિશન સૂર્યની નજીક આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે સૂર્ય મિશન Aditya L-1 2જી સપ્ટેમ્બરના રોજ સવારે 11.50 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન પૃથ્વીથી 15 લાખ કિમી દૂર L1 પોઈન્ટ પર જશે અને ત્યાંથી સૂર્યના રહસ્યો ઉજાગર કરશે.

આ પહેલા Aditya L-1 એ પૃથ્વી અને ચંદ્ર સાથેની એક ખાસ તસવીર ક્લિક કરી હતી, જે ISROએ શેર કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.