Abtak Media Google News

કેટલાક નિષ્ણાંતો સલાહ આપતા હોય છે કે દિવસભરમાં ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવું જ જોઇએ, જેથી પાણીની ઉણપ ન રહે. પરંતુ જરુરી નથી કે આટલું પાણી પીવાથી શરીરને બધાં ઝેરી દ્રવ્યોથી મુક્ત જ રાખી શકાય છે. દિવસભરમાં એચટુઓ સેવનનું લગભગ ૨૦ ટકા આપણે સોલિડ ફડ ખાઇને મેળવી શકીએ છીએ ખાસ કરીને શાકભાજી તેમજ ફળો પાણીથી ભરપુર હોય છે.

– કાકડી

કાકડીમાં કોઇપણ ઘન આહારની સરખામણીએ સૌથી વધુ ૯૬.૭ ટકાનો પાણીનો ભાગ હોય છે.

– ટામેટા

ટામેટાથી શરીરને ભરપુર પાણી મળે છે. તે અન્ય રોગોમાંથી પણ મુક્તિ અપાવે છે. ટામેટામાં ૯૪.૫ ટકા પાણીનો ભાગ હોય છે.

– શિમલા મિર્ચ

એન્ટિ ઓક્સિડન્ટ્સથી ભરપુર લીલા શિમલા મિર્ચ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે તે ૯૩.૭ ટકા પાણીનો હિસ્સો ધરાવે છે.

– પાલક

એલ્યુટન, પોટેશિયમ, ફાઇબરથી ભરપુર કાચી પાલકમાં ૯૧.૪ ટકા પાણી હોય છે. માટે અક કપ કાચી પાલક ખાઇને પાણીની જરુરીયાત પુરી કરી શકાય છે.

– સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં ૯૧ ટકા પાણીનો ભાગ હોય છે માટે તેનું સેવન કરવાથી પાણીની ઉણપથી રાહત થાય છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.