રાજકોટમાં વસતા બંગાળી પરિવારો દ્વારા દુર્ગા મહોત્સવનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.ત્યારે બંગાળી કલ્ચર અને સોશિયલ એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય શાળા રંગમંચ ખાત પણ ગઈકાલથી વિવિધ કાર્યક્રમોની હારમાળા સાથે દુર્ગા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ખાસ રામકૃષ્ણ મીશનના પ્રમુખ સ્વામી સર્વસ્થાનંદજી ઉપસ્થિત રહ્યા હતા. જેમણે માં દુર્ગાની શકિત તથા આ પર્વ વિશેનું નામ આપ્યું હતું. વધુમાં પ્રેસીડેન્ટ ડી.કે.ઘોશએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ખાસ કરી રાજકોટમાં આ પર્વ ઉજવાય છે તે ખુબ ખુશીની વાત છે અને આ પુજા ફકત બંગાળીઓ માટે જ નહીં પરંતુ બધા જ લોકો માટે છે.મા દુર્ગાને આ સમયમાં આવકારવામાં આવે છે. મહિસાસુરના ત્રાસ અને પાપના લીધે જયારે પૃથ્વીવાસીઓ ત્રસ્ત હતા. ત્યારે માં શકિતએ દુર્ગા અવતાર ધારણ કરીને મહિસાસુરનો વધ કર્યો હતો માટે આ દિવસોમાં માંની શકિતની પુજા-અર્ચના કરવામાં આવે છે.
Trending
- જામનગરમાં વડાપ્રધાનના આગમનની તૈયારીઓનું ગ્રાન્ડ રિહર્સલ કરાયું
- પુષ્કળ માત્રામાં પાણીનું સેવન, ઉલ્યું સહિતની ક્રિયા કરવાથી મોંમાંથી આવતી દુર્ગંધ થશે દૂર !!!
- પેલેસ્ટાઈન તરફી વિરોધ ઉગ્ર બન્યો, વિરોધીઓએ કોલંબિયા યુનિવર્સિટીના હોલ પર કબજો કર્યો
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે યુવતીને ” છેતરી “
- માત્ર ગરમી જ નહી કપડાંને કારણે પણ થઇ શકે છે ડિહાઇડ્રેશન..!
- પશ્ચિમી દેશોનો ડાયમંડ સર્ટિફિકેટ અને કાર્બન ટેક્સનો નિયમ ભારતને નડશે!
- પેટાળમાંથી વધુમાં વધુ ખનીજો ઉલેચવા નવી નીતિ લાગુ કરાશે
- ભારત ચીની કંપનીઓના રોકાણને મંજૂરી આપશે પણ ફૂંકી ફૂંકીને!