રાજકોટમાં વસતા બંગાળી પરિવારો દ્વારા દુર્ગા મહોત્સવનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.ત્યારે બંગાળી કલ્ચર અને સોશિયલ એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય શાળા રંગમંચ ખાત પણ ગઈકાલથી વિવિધ કાર્યક્રમોની હારમાળા સાથે દુર્ગા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ખાસ રામકૃષ્ણ મીશનના પ્રમુખ સ્વામી સર્વસ્થાનંદજી ઉપસ્થિત રહ્યા હતા. જેમણે માં દુર્ગાની શકિત તથા આ પર્વ વિશેનું નામ આપ્યું હતું. વધુમાં પ્રેસીડેન્ટ ડી.કે.ઘોશએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ખાસ કરી રાજકોટમાં આ પર્વ ઉજવાય છે તે ખુબ ખુશીની વાત છે અને આ પુજા ફકત બંગાળીઓ માટે જ નહીં પરંતુ બધા જ લોકો માટે છે.મા દુર્ગાને આ સમયમાં આવકારવામાં આવે છે. મહિસાસુરના ત્રાસ અને પાપના લીધે જયારે પૃથ્વીવાસીઓ ત્રસ્ત હતા. ત્યારે માં શકિતએ દુર્ગા અવતાર ધારણ કરીને મહિસાસુરનો વધ કર્યો હતો માટે આ દિવસોમાં માંની શકિતની પુજા-અર્ચના કરવામાં આવે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો