Abtak Media Google News

સમાજ અને રાષ્ટ્ર માટે પડકારરૂપ મુદ્ાઓને લઇ જનસંવાદ થકી જન ચેતના જગાવનાર ‘સુદર્શન’ દ્વારા રાજકોટમાં જન સંવાદનું આયોજન કર્યું છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા બી.એમ.મિશ્રા કે જણાવેલ કે રાજકોટ ખાતે આ કાર્યક્રમ 27/8/2022 શનિવારના રોજ રૈયા રોડ પર આવેલ શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયલ ખાતે સાંજે 7.30 કલાકે યોજાનાર છે.

આ જન સંવાદમાં રાષ્ટ્રના જલવંત મુદ્ાઓ જેવા કે લેન્ડ જેહાદ, લવ જેહાદ, વિષય ઉપર સંવાદ કરી શકે છે. યોજાનાર જન સંવાદ કાર્યક્રમમાં દેશના અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. જેમાં સ્વામી શ્રી પરમાનંદજી સરસ્વતી, સ્વામી શ્રી અપૂર્વાનંજી ઉપસ્થિત રહી પોતાના રાષ્ટ્રવાદી વિચાર અને તે અંગે સમાજને માર્ગદર્શન અને આશીર્વાદ આપશે.

આ કાર્યક્રમમાં વજુભાઇ વાળા, મોહનભાઇ કુંડારિયા, રામભાઇ, વિજયભાઇ રૂપાણી, અરવિંદભાઇ રૈયાણી, પ્રદીપભાઇ, ગોવિંદભાઇ પટેલ, લાલજીભાઇ સાગઠીયા, કમલેશ વિરાણી અને વિશ્ર્વ હિન્દુ પરિષદના શાંતુભાઇ રૂપારેલીયા, હિન્દુ મહાસભા પંચના રાજેશભાઇ પિલાઇ, કાજલબેન હિન્દુસ્તાની તથા શહેરના વિવિધ સામાજીક અને રાષ્ટ્રવાદી સંગઠનો ઉપસ્થિત રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.