Abtak Media Google News

જામકંડોરણા તાલુકા રાજપુત સમાજ ની વાડી ખાતે  જામકંડોરણા રાજપુત સમાજ ના યુવાનો અને વડીલો એકઠા થઈ મૌન પાડી ને  પીએસઆઇ સ્વ સંજયસિહ જાડેજા શ્રધ્ધાજંલી આપી હતી જામકંડોરણા રાજપુત સમાજ ની વાડી એથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજી ને મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ  આ અંગે ની આવેદનપત્ર માથી મળતી માહિતી અનુસાર જામકંડોરણા તાલુકાના સાતુદડ ગામના રહીશ અને ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટ મા વડોદરા સયાજીગંજ અલકાપુરી પોલીસ સ્ટેશન સબ ઈન્સ્પેકટર તરીકે  ફરજ બજાવતા એસ.એસ જાડેજા સ્યુસાઇડ કરેલ છે.

જે સ્યુસાઇડ અમો ક્ષત્રિય સમાજને સ્યુસાઇડ લાગતુ નથી આ અંગે ની તટસ્થ તપાસ થાય  તે બાબત જામકંડોરણા તાલુકા રાજપુત ની યોગ્ય તપાસ કરવા લાગણી અને માંગણી કરી હતી પોલીસ ડીપાર્ટમેન્ટ સંનિષ્ઠ અને કાર્યશીલ અધીકાર ગુમાવ્યા છે જ્યારે રાજપૂત સમાજે એક ખુબજ સારા વ્યક્તિ ગુમાવ્યા છે. પીએસઆઈ સ્વ. એસ એસ જાડેજા ની સ્યુસાઇડ વિશે યોગ્ય તપાસ કરી સાચી હકીકત બહાર  આવે તે અંગે નુ જામકંડોરણા મામલતદાર ને જામકંડોરણા રાજપુત સમાજ દ્વારા  આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.