Abtak Media Google News

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારામારીની ઘટના બનવા પામી છે.ત્યારે આજે રામનાથપરામાં પરિણીતા અને તેના પુત્ર પર જેઠ દ્વારા જુના મનદુ:ખ માં પાવડા વડે હુમલો કરી માર મારતા બંનેને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બનાવવામાં હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા બનાવ અંગેની નોંધ કરી આગળની તપાસ એ ડિવિઝન પોલીસને આપવામાં આવી છે.

રામનાથપરાના મકાનમાં અગાઉ કરેલ તોડફોડ બાબતે જેઠ પાસેથી પરિણીતાએ ખર્ચ માંગતા માર માર્યો

બનાવની મળતી માહિતી મુજબ હાલ મોરબી રોડ પર ભાડે મકાન રાખી રહેતા જ્યોતિબેન અમિતભાઈ ખીટ અને તેના પુત્ર જેનીલ અમિતભાઈ ખીટ પર તેના જ જેઠ શ્યામ કનુભાઈ ખીર દ્વારા ખીટ દ્વારા અજય રામનાથ પરામાં પાવડા વડે હુમલો કરી માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

જ્યાં બનાવવાની ડિવિઝન પોલીસને થતા તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, જ્યોતિબેનનું રામનાથ પરામાં પોતાનું મકાન આવેલું છે જેમાં થોડા સમય પહેલા તેમના જેઠ શ્યામ ખિટ દ્વારા તોડફોડ કરી નુકસાન કરવામાં આવ્યું હતું જેથી આજરોજ જ્યોતિબેન તે મકાન પર સાફ-સફાઈ કરવા માટે ગયા હતા અને અગાઉ પડે તોડફોડ બાબતે તેમના જેઠ પાસેથી પૈસા માગતા તેને ઉશ્કેરાય માતા પુત્ર પર પાવડા વડે હુમલો કરી માર મારતા તેમને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.