Abtak Media Google News

ઓખા મંડળમાં આવેલ દ્રાદશ જયોતિલીગ નાગેશ્ર્વર મહાદેવની પુજાનું વિશેષ મહત્વ રહેલ છે.

શ્રાવણ માસની વહેલી સવારની આરતીમાં શીવ કત જોડાય છે. વહેલી સવારે ૫.૩૦ ની તથા સાંજે ૮ વાગ્યાની આરતીનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ અરતીનો લાભ પણ શિવ ભકતો મોટી સંખ્યામાં જોડાય છે. શિવલીંગને અભિષેક નો સમય સવારે ૭ થીસાંજે ચાર વાગ્યા સુધી રહે છે.

ગુલશન કુમારે આ મંદીરનો ર્જીણોધાર કર્યા પછી આ મંદીર પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે.

દ્વારકાની યાત્રાએ આવતા યાત્રીકો  અહી ખાસ આવે છે. અહીંની વિશાળ શિવજીની મુર્તિ આ મંદીરની શોભાને ચાર ચાંદ લગાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.