નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં એમ.એસ.સી. ફોરેસ્ટ્રીમાં પ્રથમ વર્ષનાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા મુળ જુનાગઢનાં વિદ્યાર્થીએ હોસ્ટેલનાં ‚મમાં ફાંસો ખાઈને જીવતર ટુંકાવી લીધું હતું. મૃતક જુનાગઢનાં તબીબનો એકનો એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. નવસારીમાં આવેલ કૃષિ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજયુએટ કોર્સમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો ચિરાગ સવજીભાઈ વઘાસીયા (ઉ.વ.૨૪)એ આ વર્ષે એમ.એસ.સી. ફોરેસ્ટ્રીમાં એડમિશન લીધું હતું. ચિરાગ વઘાસીયાએ સંકલ્પ પીજી બોયસ હોસ્ટેલમાં ‚મ નં.૧૧૬માં તેના ‚મ પાર્ટનર મયુર નામના યુવાન સાથે રહેતો હતો. ચિરાગ હાલ બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હતો. સોમવારે સવારે ચિરાગ કોલેજમાં ગયો ન હતો જેથી તેમનાં મિત્રો તેના ‚મ પર ગયા હતા અને ‚મ અંદરથી બંધ હતો. ‚મ ખોલીને જોતા ચિરાગને પંખા પર લટકેલી હાલતમાં મળતા પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ