Abtak Media Google News

ગિરનાર તીર્થ શ્રેત્રના વરિષ્ઠ સંતો એવા પૂજ્ય સેરનાથ બાપુ, અગ્નિ અખાડાના સભાપતિ અને ભારત સાધુ સમાજના અધ્યક્ષ મૂકતાનંદ બાપુ તથા હરિયાણાના બ્રહ્મચારી સંપુરનાનંદ બાપુ સહિતના સંતો જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે પધરામણી કરી, દાતાર બાપુના દર્શન કર્યા હતા.

દાતારની જગ્યાએ પધારેલા સંતો એ જગ્યામાં દાતાર બાપુની ગુફાના દર્શન અને અન્ય વિભાગોની મુલાકાત લીધી હતી, અને ભીમ બાપુ દ્વારા  જગ્યામાં ચાલી રહેલા અવિરત સેવા પ્રવૃત્તિથી સંતો ખુશ થયા હતા અને ભીમ બાપુની પ્રશંસા કરી, દિન દુ:ખિયા ની સેવા કરતા રહો અને દાતાર બાપુની જગ્યાનો અવિરત વિકાસ કરતા રહો તેવા રૂડા આશિર્વાદ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.