Abtak Media Google News

હ્રીમ ગુરુજી

મોરનું પિછું

Vastu Tips: मोर पंख के इस बेहद सरल उपाय से होगा धन लाभ, टिकने लगेगा हाथ में पैसा - Very Simple Vastu Remedy Of Mor Pankh In Hindi Kee – News18 हिंदी

ઘરમાં મોરનું પીંછા રાખવું શુભ માનવામાં આવે છે. મોરનાં પીંછાને માત્ર જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ નહીં પરંતુ વાસ્તુ અનુસાર પણ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મોરનું પીંછા તમારા તમામ વાસ્તુ દોષોને દૂર કરે છે. પરંતુ ખાસ ધ્યાન રાખો કે મોરનું પીંછું ખરીદવું ન જોઈએ, પરંતુ તે એવું હોવું જોઈએ કે મોર પોતે તેને છોડી દે. બીજી બાજુ મૃત મોરનું પીંછું ઘરે લાવવાથી સારા નસીબ નહીં પરંતુ ખરાબ નસીબ ઘરે આવે છે. એટલે કાળજી લેવી કે મોરપિંચ્છ એ ખરીદેલું ન હોય..

ચાંદીનો સિક્કો

Mahalaxmi Silver Coin 40G – India Government Mint

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચાંદીનો સિક્કો રાખવામાં આવે છે. જો તમે પણ મા લક્ષ્મીજીની કૃપા ઈચ્છતા હો તો સર્વાર્થ સિદ્ધિ યોગમાં ચાંદી ખરીદવી ભાગ્યશાળી માનવામાં આવે છે. ચૈત્ર માસમાં કોઈપણ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ચાંદીનો સિક્કો ઘરે લાવો અને પછી ચમત્કાર જુઓ. નાણાકીય તંગી થોડી જ વારમાં દૂર થઈ જશે.

શંખ:

Order Unique Vamavarti Left Hand Shankh For Puja Online @ Low Cost - Rudra Centre

હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં પૂજા સ્થાન પર શંખ રાખવાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આરતીના સમયે શંખ વગાડવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. તેમજ આર્થિક તંગી દૂર થાય છે. આના કારણે વ્યક્તિના વ્યવસાયમાં પણ વૃદ્ધિ થાય છે.

પોપટ :

Green Parrot Photos, Download The Best Free Green Parrot Stock Photos &Amp; Hd Images

શાસ્ત્રોમાં પોપટને બુદ્ધિશાળી અને જ્ઞાની પક્ષી માનવામાં આવે છે. કહેવાય છે કે પોપટની શીખવાની ક્ષમતા ખૂબ જ ઝડપી હોય છે. તેનું વિશેષ મહત્વ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે. જો તમે ઘરમાં પોપટ ન રાખી શકો તો ઘરમાં પોપટની પ્રતિમા કે ચિત્ર લગાવવાથી બાળકોનો અભ્યાસમાં રસ વધશે. દુ:ખ, ગરીબી, રોગ વગેરે પણ ઘરમાંથી દૂર જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ઘરની ઉત્તર દિશામાં લગાવવાથી ફાયદો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.