Abtak Media Google News

હુમલાખોરો તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દઈ લાશને ફેંકી નાસી ગયા: લેતી-દેતીના મામલે હત્યાની આશંકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામદેવળીયા ગામ નજીક નિવૃત તલાટીમંત્રીની જુની અદાવતમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવવામાં આવી હોવાની મૃતકના પુત્રએ શંકા વ્યકત કરી હોવાથી પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો છે.

Advertisement

દેવળિયા ગામના પાટીયા નજીક કોઈ વૃદ્ધની લાશ મોટર સાયકલ આગળ પડી હોવાની જાણ કલ્યાણપુર પોલીસને થતા સ્ટાફને થતા ઘટનાસ્થળે ઘસી જઈ એક અજાણ્યા વૃદ્ધની તિક્ષ્ણ હથિયારથી ૬ થી ૭ ઘા સાથેની લાશ મળી આવી હતી. તપાસ દરમ્યાન આ લાશ પૂર્વ તલાટી કમ મંત્રી અરજણગીરી હરનામગીરી રામદતી (ઉ.વ.૬૦)ની હોવાનું ખુલ્યું હતું. જેથી તપાસનીશ પોલીસ દ્વારા તેમના પુત્ર દેવેન્દ્રગીરીને બોલાવી વિગત જાણતા આ બનાવ જાણીબુઝીને હત્યા કરવામાં આવ્યાનું જણાવાયું હતું.

મરણ જનાર જયારે તલાટી કમ મંત્રીની નોકરીમાં હતા ત્યારે જંત્રીની લેતી-દેતીમાં એક શખ્સ સાથે વાદ-વિવાદમાં એક શખ્સની હત્યા કરી હોવાની ત્યારે આરોપીના નામોમાં મરણ જનારનું નામ પણ સામેલ હતું જેથી આ ખાર રાખી હત્યા થયાનું માત્ર અનુમાન કરવામાં આવ્યું હતું. પોલીસે આ વિગત સાથે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.