Abtak Media Google News

કોમેડિયન કપિલ શર્મા અને Sunil Grover ના વિવાદને એક મહિના કરતા પણ વધારે સમય થઇ ગયો છે, છતાં પણ આ વિવાદ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. એક તરફ Sunil Grover કપિલ શર્માના શોમાં પરત આવવા માંગતા નથી તો બીજી તરફ, એવી ખબર સામે આવી રહી છે કે સુનીલ ગ્રોવર પોતાનો એક નવો કોમેડી શો લાવી રહ્યા છે. આ શોમાં સુનીલની સાથે અલી અસગર અને ચંદન પ્રભાકર પણ હશે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે, કેટલાક ફેમસ કોમેડિયન્સ પણ આ શોમાં નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, મેકર્સ સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝન સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેકર્સની સામે અન્ય ચેનલ્સની પણ ઓફર્સ છે. સોની ટીવી પણ પોતે સુનીલ ગ્રોવરનાં શોમાં દિલચસ્પી બતાવી રહી છે.

સુનીલના શોમાં અલી અસગર અને ચંદન પ્રભાકર સિવાય સુગંધા મિશ્રા પણ કમબેક કરશે તેવી ખબર છે. સુગંધા મિશ્રા પણ કપિલના શોને અલવિદા કહી ચૂકી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુનીલ ગ્રોવરનો શો પણ એક સેલિબ્રિટી શો હશે પરંતુ કપિલના શો કરતા એકદમ અલગ હશે. શો નું નામ સુનીલ ગ્રોવરનાં નામ પર રાખવામાં આવશે નહિ કારણકે સુનીલ એવું નથી ઇચ્છતા. આ શો જૂનમાં લોન્ચ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની લડાઈથી બધા દુઃખી છે. તેમાં એક નામ રિશી કપૂરનું પણ છે. તમને જણાવી દઈએ કે ,રિશી કપૂર એક ખાસ એપિસોડમાં નીતુ કપૂરની સાથે આ શો પર આવ્યા હતા અને બંને અહીં ખૂબ એન્જોય કર્યું હતું. જો કે, પોતાની તરફથી પહેલ કરતા રિશી કપૂરે બંનેનું પેચઅપ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે એક ટ્વીટ કરી કે, IPL માં કપિલ શર્મા તો દેખાઈ રહ્યા છે પરંતુ તેમના જોડીદાર સુનીલ ગ્રોવર ક્યાં છે.

તો બીજી તરફ તેના ઉત્તરમાં સુનીલ ગ્રોવરે પણ થોડા સમય પછી ટ્વીટ કરી અને આ વખતે તેમનું દર્દ છલકી ઉઠ્યું. તેમણે લખ્યું કે, તે ઈજા થવાના કારણે રિટાયર થઇ ગયા છે અને પાછા ફિલ્ડ પર આવી શકશે નહિ. સુનીલ ગ્રોવરની આ વાતથી લાગે છે કે, કપિલ શર્માના વ્યવહારથી તે હજુ પણ દુઃખી છે. તેની સાથે તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, કપિલ શર્મા સાથેના વિવાદ પછી તેઓ શોમાં પરત આવશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.