Abtak Media Google News

પ્રમુખ પદે સલીમભાઇ આકબાણી અને ઉપપ્રમુખ પદે ફિરોજભાઇ લાકડીવાળાની વરણી: હોદેદારો ‘અબતક’ની મુલાકાતે

કરીમપુરા મેમન જમાત ટ્રસ્ટના ફિરોજભાઇ લાકડીવાળાની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ૨૬૪ સભ્યો ઉ૫સ્થિત રહ્યા હતા.

મીટીંગમાં નવા પ્રમુખની ચુંટણીનું એલાન કરતા જમાતના સભ્યોમાંથી ત્રણ સભ્યો ઉમેદવાર તરીકે તૈયાર થયા હતા. અને હાજર સભ્યો ફરી ચીઠ્ઠી નાખી પોતાનો મત આપેલ હતો. જેમાં સલમીભાઇ ઇશાકભાઇ આકબાણીને કરાયા હતા. આ અંંગે વધુ વિગત આપવા જમાતના નવા હોદેદારોએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.જમાતના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે જે જેમાં પ્રમુખ તરીકે સલીમભાઇ ઇશાકભાઇ આકબાણી,  ઉપપ્રમુખ  ફિરોજભાઇ લાકડીવાળા, ઇમરાનભાઇ શીશાંગીયા, ખજાનચી અસ્લમભાઇ જરીવાલા તેમજ સભ્યો તરેકી અમીનભાઇ આકબાણી, સોહિલભાઇ કાબરા, વસીમ બાનાણી, ઇમરાનભાઇ સફીભાઇ, ઇમરાનભાઇ કામાદર, ઇમરાનભાઇ કામદાર, મુનાફભાઇ ખીમાણીની વરણી કરવામાં આવી છે.

કરીમપુરા મેમન જમાત ટ્રસ્ટનાં કોમ્યુનીટી હોલનું રીનોવેશન કરવું, જમાત ના ગરીબ જરુરતમંદ પરિવારને મદદ કરવી, જમાત દ્વારા સંચાલીત મસ્જીદનું વ્યવસ્થિત સંચાલન કરવું, ગ્યારવી તથા બારમી શરીફની ન્યાજનું આયોજન કરવું, જમાતના યુવાનોને વ્યસન મુકિત કરવા જકાત ફંડ એકત્રીત કરવું.જેવી અનેક બાબતોને લઇને મીટીંગમાં ચર્ચા કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.