Abtak Media Google News

થાંભલી રોપણ, માતાજીનું સામૈયું, મહાપ્રસાદ  સહિતના અનેક ધાર્મીક કાર્યક્રમો યોજાશે

શહેરના સામાકાંઠા વિસ્તારમાં મોરબી રોડ પર નવા જકાતનાકાની બાજુમાં આવેલા શ્રી ખોડિયાર માતાજીના મંદિરે  તા.14ને શુક્રવારના રોજ ખોડિયાર મિત્ર મંડળ દ્વારા  આઈશ્રી ખોડિયાર માતાજીનો રૂડો નવરંગ માંડવો યોજાશે જેમાં રાવળદેવ તરીકે ધર્મેશભાઈ રાવળ ખાસ ઉપસ્થિત રહેશે.

તા.14ને શુક્રવારના થાંભલી રોપવાનું મુહુર્ત, માતાજીનું સામૈયું, સવારે શુભ ચોઘડીયે સાંજે 7 થી11 માતાજીનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.જયારે થાંભલી વધાવવાનું મુહુર્ત તા.15 સવારે રાખવામાં આવેલ છે.

ખોડિયાર માતાજીના નવરંગ માંડવાને સફળ બનાવવા માટે સંજયભાઈ ભાનુશાળી, ઉદયભાઈ ટોળીયા, બાબુભાઈ અજાણી, મહેશભાઈ આતવાણી, અનિલભાઈ ડાકા, રાજુભાઈ કુંભરવાડીયા, ભટ્ટીભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.