Abtak Media Google News

કાગવડ ખોડલધામ સમિતિ દ્વારા લાલદાસબાપુનું અદકે‚ સ્વાગત કરાયું

ઉપલેટા તાલુકાના ગધેડ ગામ પાસે વેણુ નદીના કિનારે આવેલ ગાયત્રી મંદિરના મહંત પૂજય સંત સિરોમરી લાલદાસબાપુ ગઈકાલે સુપ્રસિધ્ધ કાગવડમાં આવેલા ખોડલધામ મંદિરની મુલાકાત લેતા કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પૂજય લાલદાસબાપુનું અદકે‚ સ્વાગત કરવામાં આવેલ હતું.

Advertisement

પુજય લાલદાસબાપુ દ્વારા ખોડલધામમાં બિરાજતા માં ખોડિયાર માતાજીનું શાોકત વિધિ મુજબ પૂજન અર્ચન કર્યું હતું. ખોડલધામ મંદિરના પંડિત દ્વારા બાપુને ખોડલધામનો ખેશ પહેરાવી આવકારેલા હતા.

આ તકે પૂજય લાલદાસબાપુએ ખોડલધામ મંદિરના પરિસરની મુલાકાત લઈ ભાવ વિભોર બની ગયા હતા.આ તકે પૂજય લાલદાસબાપુએ ખોડલધામ મંદિરના ટ્રસ્ટીઓને શુભેચ્છા પાઠવી હતી.

કાગવડ ખોડલધામ મંદિરની મુલાકાત વેળાએ પૂજય લાલદાસબાપુ સો તેમના શિષ્ય રાજુ ભગત, દોલુ ભગત, સેવક ગણના હરિભાઈ ઠુમર, વલ્લભભાઈ રાખિયા, ટિકુભા જાડેજા (ઘંટેશ્ર્વર), જવસંતભાઈ મણીયાર, રાજુભાઈ ગજેરા સો જોડાયેલ હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.