Abtak Media Google News

સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે 54 ફુટની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લાખો ભક્તોએ વિશાળ હનુમાનજીની પ્રતિમાના દર્શન કર્યા હતા.

Advertisement

સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન થઈ ગયું છે. આ પ્રસંગે લાખો ભક્તો પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રોજેક્ટને ‘કિંગ ઓફ સાળંગપુર’ નામ અપાયું હતું. આ મૂર્તિ એટલી વિશાળ છે કે તેના 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકાય છે. હનુમાનજીની પ્રતિમાનું વજન 30 હજાર કિલો છે.

સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરે  કાર્યક્રમમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ તેમજ વરિષ્ઠ સંતો-મહંતો સહિત અસંખ્ય શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. હનુમાનજીની મૂર્તિનું લોકાર્પણ કરાયા બાદ રાત્રે ડાયરો યોજાયો હતો. જેમાં ઓસમાણ મીર અને નિર્મળદાન ગઢવી સહિતના ગાયકોએ ભક્તિ ગીતો રજૂ કર્યા હતા.

આ પ્રોજેક્ટ પર લગભગ 3 વર્ષથી કામ ચાલી રહ્યું હતું. કુંડલધામના જ્ઞાનજીવનદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ નરેશ કુમાવત દ્વારા મૂર્તિનું નિર્માણ કરાયું છે. આ મૂર્તિ દક્ષિણાભિમુખ છે, જેના આધારે પ્રતિમા તૈયાર કરાઈ છે. તેના પર હનુમાનજીના ચરિત્રને દર્શાવતું ભીંતચિત્ર બનાવાયું છે, તેમાં સાળંગપુર ધામના ઈતિહાસનો પણ ઉલ્લેખ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.