Abtak Media Google News

અબતક,રાજકોટ

Advertisement

શહેરમાં આજીડેમ ચોકડી પાસે રામપાર્કમાં બાવળાથી માતાના ઘરે પોતાની સારવાર માટે આવેલા કિન્નર પર રાત્રે ત્રણેક શખ્સોએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે તેની ફરિયાદ નોંધી છે. જાણવા મળ્યા મુજબ રામપાર્ક-૩માં માતાના ઘરે બાવળા ગામેથી આવેલા કિન્નર રૂપાલીદે શબુદે (ઉ.વ.૧૯) પર રાતે આ વિસ્તારના જ રણજીત અને ભરત સહિતના શખ્સોએ હુમલો કરી મારકુટ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇ આર. વી. કડછા અને કાળુભાઇ ગામેતીએ હોસ્પિટલે પહોંચી રૂપાલીદેની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.

રૂપાલીએ જણાવ્યું હતું કે હું છ વર્ષથી કિન્નરનું જીવન જીવું છું. અગાઉ ઓપરેશન કરાવ્યું હોઇ હાલમાં પેશાબની તકલીફ હોઇ સારવાર માટે બાવળાથી રાજકોટ આવી હતી. મારા પિતા હયાત નથી. માતા લગ્ન પ્રસંગમાં ગયા હતાં. રાતે હું ઘરે હતી ત્યારે રણજીત, ભરત સહિતના નશો કરી પડોશીના દરવાજા ખખડાવતાં હોઇ તેને સમજાવતાં તેણે મારા ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને અંદર ઘુસી ગયા હતાં. મેં દેકારો મચાવી તાળીઓ પાડતાં એ લોકો ભાગી ગયા હતાં. મારામારીમાં મને પેશાબની જગ્યાએ ઇજા થઇ જતાં સારવાર માટે ખસેડવી પડી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.