Abtak Media Google News

ત્રણ દિવસ પહેલા થયેલી બોલાચાલી નો ખાર રાખી ફરી મારામારી થતાં બે ગંભીર રીતે ઘવાયા

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારામારીના બનાવો બનવા પામ્યા છે.ત્યારે આજે ફરી મારામારીનો બનાવ સામે આવ્યો છે.જેમાં પોપટપરા કૃષ્ણ નગરમાં રહેતા બે કૌટુંબિક ભાઈઓ ત્રણ દિવસ પહેલા બનેલી મારામારીની ઘટનાનો ખાર રાખી આજે ફરી છરીઓ વડે બંને વચ્ચે મારામારી થતાં બંને યુવકોને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવવાની જાણ પ્ર.નગર પોલીસે થતા તેઓ હોસ્પિટલે દોડી જાય બંને યુવકની પૂછપરછ પછી ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.

આ મામલે બનાવવાની મળતી માહિતી અનુસાર પોપટ પરા મેઈન રોડ પર આવેલા કૃષ્ણનગર પાંચમાં રહેતા રમજાન ભાઈ બાબુભાઈ માલાણી આજે સવારના 10:00 વાગ્યાના આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો ત્યાં બનાવવાની જાણ પોલીસને થતા તેઓ હોસ્પિટલને દોડી જાય તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તેના કુટુંબિક ભાઈ મનવર ગુલામ અને રિવબાઈ બેન ગુલાબ ભાઈ નામ ના હોય તેના પર છરી વડે હુમલો કરતા તે ગંભીર રીતે ખવાયો હતો આ બનાવવાનું કારણ તેને જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા તેમના બેન સિમન બેન પાછળ અનવર છરી લઈને દોડ્યો હતો તે બાબતે મારામારી થઈ હતી જેનો ખાર રાખી ફરી આજે હુમલો કર્યો હતો.

જ્યારે આ મામલે સામેના પક્ષનો અનવર ગુલામભાઈ માલાણી પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો જેને જણાવ્યું હતું કે મુસ્તાક અને રમજાને તેના પર છરી વડે હુમલો કરી માર માર્યો હતો તે ઉપરાંત તેઓએ તેના ઘરમાં પથ્થરોના ઘા કરી નરીયા પણ તોડી નાખ્યા હતા.

જ્યારે આ મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી સામસામે કાર્યવાહી કરવા વધુ પૂછ પરછ શરૂ કરી છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.