Abtak Media Google News

ગુરૂ પુર્ણિમાની ઉજવણી સંદર્ભે કાર્યક્રમો યોજાશે

કોળી શકિત યુવક મંડળ અમરેલી અને જય વેલનાથ જય માંધાતા સમિતિ રાજકોટના ઉપક્રમે તા. 10 ના અમદાવાદ ખાતે કોળી સમાજનો જીવન પસંદગી મેળો યોજાનાર છે. ત્યારે  ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલ દેવાંગ કુકાવા, લાલજીભાઇ ચનિયારા, શૈલેષભાઇ માલમ, ભુપતભાઇ ભડેરીએ વિશેષ વિગતો આપી હતી.

અષાઢી બીજ મહોત્સવ તથા ગુરૂપૂર્ણિમા નીમીતે સમગ્ર ગુજરાતભરમાં રહેતા ચુંવાળીયા તળપદા, ઘેડીયા, દિવેચા, સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા એજયુકેશન પરિવાર ના યુવક-યુવતિઓ માટે કોળી શકિત યુવક મંડળ તથા સમસ્ત તળપદા કોળી પટેલ સેવા સમાજવાડી ના સંયુકત ઉપક્રમે અમદાવાદ ખાતે જીવનસાથી પસંદગી મેળાનું તા. 10 ને રવિવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી તળપદા કોળી પટેલ સમાજવાડીની વાડી, મમતાનગર, વિરાટનગર ચાર રસ્તા પાસે, બાપુનગર, અમદાવાદ મુકામે આયોજન કરાયું છે.

આ કાર્યક્રમમાં જોડાવવા માટે વેકસીન લીધેલ હશે તેમને પ્રવેશ આપવામાં આવશે. ફકત યુવતિઓ માટે અભ્યાસ ધોરણ ઘ્યાનમાં લેવામાં આવશે નહી. આ કાર્યક્રમમાં અષાઢી બીજ થી ગુરૂપૂર્ણિમા સુધી દર વર્ષે વૃક્ષરોપણનું આયોજન થાય તેવો સંકલ્પ લેવામાં આવશે.

આ કાર્યક્રમ પહેલા સવારે સંતશ્રી વેલનાથબાપુની પ્રતિમાને પૂજા અર્ચન કરીને આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે કોળી શકિત યુવક મંડળના પ્રમુખ રમેશભાઇ ગોહિલની આગેવાની હેઠળ કનુભાઇ સોલંકી, બેચરભાઇ મેર, બટુકભાઇ  સોલંકી, રમેશભાઇ  ભરડા, અશોકભાઇ ચૌહાણ, પ્રવિણભાઇ ખસીયા તેમજ રાજકોટના યુવા અગ્રણી દેવાંગ કુકાવા, કલ્પેશભાઇ બાવરીયા સર્વે હોદેદારો સભ્યઓ જહેમત ઉઠાવી રહ્યા છે. માહીતી માટે મો. નં. 93747 34820 ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.