Abtak Media Google News

વિંછીયા ખાતે ગઈકાલે યોજાયેલ કોળી સમાજના સામાજિક સમરસતા સંમેલનમાં સૌરાષ્ટ્રભરમાંથી આવેલા કોળી સમાજના આગેવાનોએ પોતાના પ્રવચનો કર્યા જયારે જસદણના ધારાસભ્ય અને દેશના કોળી સમાજના આગેવાન કુંવરજીભાઈ બાવળીયાએ પ્રવચન આપવાની શરૂઆત કરી ત્યારે જનમેદનીમાં નિરવ શાંતી છવાઈ ગઈ હતી. શાંતી એટલી હતી કે સળી પડે તો તેનો અવાજ આવે પોપટભાઈ રાજપરા અને જેશાભાઈ સોલંકીએ યોજેલ આ સંમેલનમાં બાવળીયાએ એવો પણ ઉલ્લેખકર્યો હતો કે કોળી સમાજની સાથે અન્ય સમાજો જોડી તેનો પણ વિચાર કરવો જોઈએ. તે અવાજ સરાહનીય છે.

ખાસ કરીને આ સંમેલનમાં ભાજપની વિચારધારામાં માનતા ભોળભાઈ ગોહિલ અને ખોડાભાઈ ખસીયા સહિતનાઓ સમાજના ઉતથાન માટે જુના મનદુ:ખો ભુલી એક સુર છેડયો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.