Abtak Media Google News

૬ઠ્ઠીએ અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે આયોજન: સરકારી શાળામાં ભણતા ક્ષત્રિય ગીરાસદાર સમાજના છાત્રોનું છાત્રોનું થશે બહુમાન: હોદેદારો અબતકની શુભેચ્છા મુલાકાતે

ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ગુંદડી કા લાલ (ચીંથરે વીટાયેલું રતન) વિઘાર્થી સત્કાર સમારોહનું આયોજન આગામી તા. ૬-૧-૧૯ રવિવારના રોજ ૨.૩૦ થી ૬ અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમ સંસ્થા છે. શહેરની મ્યુનિ. કોર્પોરેશન સંચાલીત માત્રને માત્ર સરકારી શાળામાં અભ્યાસ કરતાં ક્ષત્રીય ગીરાસદાર સમાજના દીકરા-દીકરીઓને સન્માન કરવાનો આ અતિવિશિષ્ટ અને અદભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના આ વર્ષના મુખ્ય સ્પોન્સર તરીકે ગાંધીનગર નાયર સચિવ અશોકસિંહજી પરમાર છે. તેમજ આ કાર્યક્રમના પથ પ્રેરક મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાના પ્રમુખ ડો. યોગરાજસિંહજી જાડેજા (જાબીડા) ઉપસ્થિત રહેશે. આમંત્રિત મહેમાનોમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા જાડેજા, શહેર ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, એ.સી.પી. પ્રદીપસિંહ જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મહિલા પ્રમુખ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, જયોતિ સી.એન.સી. ના ડાયરેકટર સહદેવસિંહ જાડેજા, ભચાઉ નગર પાલિકાના પ્રમુખ કુલદીપસિંહજી જાડેજા તથા ગોકુલ હોસ્પિટલના ડો. દિગ્વિજયસિંહ જાડેજા ઉ૫સ્થિત રહી કાર્યક્રમને દીપાવશે.

Advertisement

આ કાર્યક્રમને સફળ બનાવવા ક્ષત્રીય રાજ ફાઉન્ડેશનના હોદેદારો પ્રમુખ ક્રિપાલસિંહ રાણા સદાદ, પૃથ્વીસિંહ જેઠવા મોરાણા, દિગ્વિજયસિંહ વાઘેલા, ધિંગડા, શકિતસિંહ વાઘેલા, ભાડેર રાજદીપસિંહ એલ. જાડેજા વડાળી તેમજ સંકલન સમિતિ વિજયસિંહ જાડેજા, સિઘ્ધરાજસિંહ જાડેજા, જીતુભા ચુડાસમા, વીરભદ્રસિંહ વાઘેલા, જયદીપસિંહ ગોહિલ, નિર્મલસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ ગોહિલ, દેવેન્દ્રસિંહ જાડેજા, પંકજસિંહ સરવૈયા, નવલસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, હરદીપસિંહ રાયજાદા, વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહીતી માટે મો. નં. ૯૭૧૪૦ ૯૮૫૯૭ અને ૯૯૭૯૫ ૯૮૯૯૯ ઉપર સંપર્ક કરવા સત્કાર સમારોહને બહોળો પ્રતિસાદ મળે તે માટે હોદેદારોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.