Abtak Media Google News

આજ રોજ A P M C જોડિયા ખાતે ગુજકો માર્સલ દ્વારા લખતર ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી દ્વારા ટેકા ના ભાવે ચણા ની ખરીદી A P M C ના ચેરમેન ધરમસીભાઈ આર. ચનીયારા..સેક્રેટરી મયુરભાઈ ડી.ચનીયારા..વા.ચેરમેન હસમુખભાઈ રાઠોડ.યાર્ડ ના ડાયરેક્ટર ચિરાગભાઇ વાંક.જામનગર જિલ્લા પચાયત ના માજી સદસ્ય જેઠાલાલ આઘેરા ના વરદ હસ્તે ફળ વધેરી ને શ્રી ગણેશ કરવામાં આવ્યું હતું.

જેમાં હાલમાં વિશ્વભરમાં કોરોનાં વાયરસ ને ધ્યાન માં રાખી ને તમામ વ્યક્તિ ઓને માસ્ક..સોસીયલ ડિસ્ટન્સ કરવામાં આવ્યું હતું. અને ગન દ્વારા હેલ્થ ચેકપ કરવામાં આવ્યું. જોડિયા તાલુકાના આસપાસ ના ગામોમાંથી ચણા લઈનેઆવેલા ખેડૂતો દ્વારા પોતાના ચણા ના ટેકા ના ભાવ 975/–રૂપિયાના એક મણ ના ભાવે વેચાણ કરવામાં આવેલ છે. જોડિયા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત વચ્ચે ચણા ની ખરીદી ચાલુ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.