Abtak Media Google News

જામનગર એલસીબીએ બાતમીના આધારે વોચ ગોઠવીને ખનીજ ચોરી કરેલા ૨૮ ટ્રક સહિત રૂ.૩ કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે. જામજોધપુરના વસંતપુર પાસે એલસીબી પીમેઢભાઈ લગારીયા, વાગડીયા, સ્ટાફના જયુભા, વશરામભાઈ, ભરતભાઈ, ભગીરથસિંહ, હરદીપભાઈ વગેરેએ વોચ ગોઠવી ત્યારે જુદી જુદી ટીમોની વોચમાં જુદા જુદા ૨૮ ટોરસ ટ્રક નીકળતા તે તપાસતા તેમાં બેલા હતા.

જેની કોઈ રોયલ્ટીની કે બીજી કોઈ પહોંચ આધાર ન હોય તમામ ટ્રક જપ્ત કરાયા હતા. જેથી રૂ.૨.૧૦ કરોડના ટ્રક અને રૂ.૯૦ લાખના બેલાનો જથ્થો જપ્ત કરી ખાણ-ખનીજ વિભાગને આગળની કાર્યવાહી કરવા સોંપાયેલ છે. આ બેલા ભાણવડના પાછતર, રાણપર, ઢેબર વગેરે ગામની ખાણમાંથી ગેરકાયદે ખોદી લઈ જવાતા હતા અને જેતપુર, કંડોરણા, રાજકોટ વગેરે ગામોમાં બારોબાર વેચવાના હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.