Abtak Media Google News

ઈ-મેમો, અક્સ્માત વળતર અને ચેક રિટર્ન કેસ મળી ત્રણ હજાર જેટલા કેસો મુકાયા: 60 ટકા કેસ સમાધાન અર્થે નિકાલ

બાર.એસો.ના પ્રમુખ, હોદેદારો, બેંક અધિકારી, પી.જી.વી.સી.એલ અને વિમા કંપની સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

રાજકોટ સહિત  દેશભરમાં આજે તા.11ને  શનિવારે  મેગા લાકેક અદાલત યોજાય હતી જજીસોએ દિપ પ્રાગટટ કરી મેગા લોક અદાલતને ખૂલ્લી મૂકવામા આવી હતી. આજની મેગાલોક અદાલતમાં ઈ-મેમા સહિત 3 હજાર જેટલા  કેસોસમાધાન અર્થે મૂકવામાંઆવ્યા હતા.  જેમાં 60 ટકા જેટલા કેસોના નિકાલ થયાની શકયતાઓ છે.

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજ રોજ તા.11ને શનિવાર ના રોજ રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન  રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, ન્યુદિલ્લી ના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્રમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું તેમજ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના  ઉપક્રમેજીલલા કાનૂની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ દવારા પણ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ , ચેરમેન, જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, રાજકોટના માર્ગદર્શન  હેઠળ રાજોકટ જીલ્લાની તમામ આલતોમાં આજ રોજ મેગા લોક અદાલતનુ આયોજન કરવામાં આવેલું છે.

લોક અદાલતનું  રાજકોટના એ.જે.સંઘવી, એડી.સીવિલ જજ ,  સી.કે.રાઠોડ  બીજા એડી.સીવિલ જજ, એન.આર.વાઘવાણી , જયુડીશ્યલ મેજી. ફર્સ્ટ કલાસ ( ટ્રાફીક કોર્ટ),  એચ.જે.પરમાર, જયુડીશ્યલ મેજી. ફર્સ્ટ કલાસ ( રેલ્વે કોર્ટ) અને  એમ.બી.રાવલ, 1રમાં એડીનલ સીવીલ જજ  દવારા દિપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલી મૂકવામાં આવી હતી. સદરહુ ઉદઘાટન પ્રસંગે રાજકોટ હેડ કવાર્ટરના તમામ ન્યાયાધીશ, બાર એસોસીએશનના પ્રમુખ, તમામ હોદેદારો, જુદી જુદી વીમા કંપનીના ઓફીસરો,  એડવોકેટઓ, પી.જી.વી.સી.એલના, વિવિધ બેંકના અધીકારીઓ, પક્ષકારો ઉપસ્થીત રહેલા હતા.

આ પ્રસંગે   ડીસ્ટ્રીકટ જજ , વી.કે.ભટ  અકસ્માત વળતરના અને ચેક રીર્ટના ના કેસો વધારે મા વધારે સફળતા પુર્વક સમાધાનથી નીકાલ થાય તે માટે આશા પાઠવી છે. તથા  એન.એચ.નંદાણીયા , કુલ-ટાઇમ સેક્રેટરી લોક અદાલતમાં કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામાં આવેલા છે.  અંદાજે કેટલા કેસોમાં સફળ સમાધાન શકય બનશે તે અંગે માહીતી આપેલી. આ પ્રસંગે 12માં એડીશનલ સીવીલ જજ  એમ.બી.રાવલ લોક અદાલતમાં થતા લાભ , કોર્ટનું ભારણ ઘટાડવામાં લોક અદાલત કઇ રીતે મદદરૂપ થાય છે. તે અંગે માહીતી આપેલી. સદરહુ ઉપરોકત જજોઓએ લોક અદાલતની સફળતા માટે શુભેરછા પાઠવી  જણાવેલું કે સમાધાનથી ફૈસલ થાય તો પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સબંધો જળવાય રહે છે તેને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ કેસૌ સમાધાનથી કેંસલ થાય તેવી અપેક્ષા છે.

સદરહુ લોક અદાલતમા  છેલ્લા ત્રણેક મહીનામાં  વીમા કંપની, ફાયનાન્સ કંપની, પોલીસ અધીકારી વિગેરે સાથે મીટીંગો યોજી લોક અદાલત પહેલા પ્રિ-સીટીંગનું આયોજન કરી આજના દીવસે વધુ કેસ સમાધાન રાહે નીકાલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામા આવેલા છે.આજના દીવસે જુદી જુદી કેટેગરીના 30000 પેન્ડીંગ કેસો હાથ પર લેવામા આવનાર છે. જેમાંથી 60 ટકાથી પણ વધુ સંખ્યામાં સમાધાનથી કેસોનો નીકાલ થાય તેવી આશા છે.

18 કેસમાં કરોડોનું અકસ્માત વળતર મંજૂર

વાહન અકસ્માતનાં માત્ર 43 દિવસમાં નોંધાયેલા 18 કેસોમાં સમાધાન કરાવી કરોડો રૂપિયાનું વળતર મંજુર કરાવવામાં આવ્યું હતું. રાજકોટ યોજાયેલી લોકઅદાલતમાં અકસ્માત ક્લેઇમ ટ્રીબ્યુનલના માર્ગદર્શન હેઠળ તેમજ અકસ્માતમાં ઇજા પામનારાને ઝડપી વળતર મળી રહે તે માટે અરજદારનાં વકીલ એ વીમા કું સાથે હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને મીનીમમ વેજીસ મુજબ કેસોનો લોકઅદાલતમાં ઝડપી નિકાલ કરવામાં આવ્યો હતો

જેમાં સુરૈયા એસોસીએટ્સ દ્વારા જામનગર પાસે અકસ્માતમાં ઇજા પામનારા 9 અરજદારોને માત્ર 43 જ દિવસમાં વળતર મંજૂર કરાવ્યુ હતું. તેમજ ધોરાજીનાં લીમ્બડ પરીવારને કેશોદ પાસે થયેલ અકસ્માતમાં અને રાજકોટનાં મેહુલભાઈ હીરાણીનાં 3 વર્ષનાં પુત્રનું થયેલ અકસ્માત મૃત્યુ કેસમાં પણ ક્લેઇમ મંજૂર કરાવ્યુ હતું. તદુપરાંત જામનગરનાં રાવલસર ગામનાં ચારણ પરીવારનાં રૂ. 22 લાખનું વળતર મંજુર કરવી કેસનો નીકાલ કરવામાં આવ્યો હતો.ઉપરોક્ત તમામ કેસોમાં ઇજા પામનારાઓ અને મૃતકોના વારસદારો વતી રાજકોટનાં સીનીયર વકીલ એમ.એ.સુરૈયા, એન.ટી. પોઠીયાવાલા, ટી.આઇ. પોઠીયાવાલા તથા તેમની સાથે કાર્યરત ધર્મેશભાઈ ખીમસુરીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.