ધોરાજી નાં પૂરવઠા નિગમ ની ઓફિસ પર ખેડૂતો વહેલી સવાર થી લાંબી લાઈનો કરીને ઘઉં ની ખરીદી ની પ્રક્રિયા શરૂ થઈ છે આમ ધોરાજી પંથક નાં ખેડૂતોને જાણ કરાઈ નથી પણ ખેડૂતો ને પોતાની રીતે વાયા મીડીયા જાણ થતાં કે ઘઉં ની ખરીદી ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેથી વહેલી સવારથી ખેડૂતો પોતાનું રજીસ્ટ્રેશન કરવા માટે લાઈન લગાવી દીધી હતી ક્યારે નોંધણી થાશે ક્યારે ઘઉં ની ખરીદી શરૂ કરાશે એ સતાવાર જાહેરાત કરી નથીં પણ અમુક લેવલે થી એવું જાણવા મળ્યું છે કે આખાં ગુજરાત માં અગીયાર લાખ થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયાં છે આ પ્રક્રીયા કઈ રીતે ચાલે છે કોનાં મારફત ચાલે છે કોનાં રજીસ્ટ્રેશન થઈ જાય છે એ પણ એક પ્રશ્ન છે એક તપાસ નો વિષય છે નાનાં ખેડૂતો હેરાન પરેશાન થાય છે જેને સરકાર સાથે અથવાતો અધિકારી સાથે લીંક હોય એ ખેડૂતો નું રજીસ્ટ્રેશન તેમનાં ઘર બેઠાં થઈ જાય છે એવોખેડૂતો નો આક્ષેપ છે અને મીડીયા સમક્ષ પોતાની વ્યથા ઠલવી હતી આ બાબતે ધોરાજી ખેડૂત અગ્રણી એવાં પંકજ ભાઈ હિરપરા તથા સામાજિક આગેવાન વિઠ્ઠલ ભાઈ હિરપરા એ પોરબંદર સાંસદ રમેશ ભાઈ ધડુક ને રજુઆત કરી હતી ત્યારે રજીસ્ટ્રેશન ની કામગીરી તાત્કાલિક શરૂ થાય અને ખેડૂતો ને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં એવું આયોજન કરવામાં આવ્યું હતું રજીસ્ટ્રેશન પ્રક્રીયા માટે ખેડૂતો ને ટોકન સીસ્ટમ આપી ને ક્રમ પ્રમાણે નોંધણી કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ